પુલવામાના આતંકી હુમલામાં શહીદ જવાનોની શહાદત પાછળ દેશમાં રાજકારણ રમાઈ રહ્યું છે. રાજકીય પક્ષો એકબીજા પર સામ સામે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ મામલે જમ્મુ કશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ ઈમરાન ખાનને એક મોકો આપવો જોઈએ તેવું નિવેદન કર્યું છે. હાલ આ નિવેદનને લઈને દેશમાં વિવાદ થયો છે.
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં રાજકીય પાર્ટીઓ પોતાની નિવેદન બાજી કરી રહ્યા છે. આ નેતાઓ અમૂક નિવેદનમાં બફાટ કરી જાય છે. આ નિવેદન વચ્ચે જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વિવાદીત નિવેદન કર્યું છે.
તેમને આ હુમલો થયો ત્યારે પણ આવો જ બફાટ કર્યો હતો. તેમને હાલ કહ્યું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ભારત સરકારે એક મોકો આપવો જોઈએ અને હાલના સમયમાં યુદ્ધની વાતો માત્ર અભણ લોકો કરી શકે છે. બંને દેશો પાસે ન્યૂક્લીયર પાવર છે અને બંને દેશ પાસે વાતચિત કરવાનો મોકો છે. એટલે હાલ યુદ્ધનો વિકલ્પ શોધતા લોકોએ વિરામ રાખીને આ મામલે શાંતીથી ચર્ચા થાય તે જોવું જોઈએ.
પુલવામામાં હુમલો કરાયો હતો ત્યારે મહેબૂબાએ નિવેદન કર્યું હતું કે આ રીતની દુર્ઘટનાઓ રોજ થાય છે આ વખતે શહીદોની સંખ્યા વધારે છે અને તેમને વધુમાં કહ્યું કે પાકિસ્તાન સાથે કશ્મીરને લઈને ચર્ચા કરવી જોઈએ. આ નિવેદનનો પણ વિરોધ થયો હતો. મહેબૂબાના આ રીતના નિવેદન બાદ એક વાત સ્પષ્ટ થાય છે કે મહેબૂબા ભારતમાં રહે છે પરંતુ તેમનો ઝોક પાકિસ્તાન તરફ વધારે હોય તેમ લાગી રહ્યું છે. હાલ આ મામલે મહેબૂબાનું દેશમાં વિરોધ થઈ રહ્યો છે.