કેબિનેટ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. આ વિસ્તરણ બાદ મોદી કેબિનેટમાં ગુજરાતના કુલ સાત મંત્રી થઈ જશે.
43 મંત્રીઓનું સામે લીસ્ટ સામે આવ્યું
ગુજરાતથી ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ
મોદી કેબિનેટમાં ગુજરાતના કુલ સાત મંત્રી
PM નરેન્દ્ર મોદીની નવી બેઠકનું વિસ્તરણ આજે સાંજે શરૂ થશે. કેબિનેટ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મોદી કેબિનેટના 43 મંત્રીઓનું સામે લીસ્ટ સામે આવ્યું છે. ગુજરતમાંથી હાલ પાંચ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતથી ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાનું કદ હવે વધી શકે છે. આ વિસ્તરણ બાદ મોદી કેબિનેટમાં ગુજરાતના કુલ સાત મંત્રી થઈ જશે.
અમિત શાહ
એસ.જયશંકર
મનસુખ માંડવિયા
પરશોત્તમ રૂપાલા
દર્શના જરદોશ
દેવુસિંહ ચૌહાણ
ડૉ.મહેન્દ્ર મુંજપર
સૂત્રો અનુસાર આ કેબિનેટ વિસ્તરણમાંઉત્તર પ્રદેશના સાત મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી એક વાત એ પણ છે કે પ્રધાનમંત્રી પોતે પણ ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટના સાંસદ પણ છે. આ મંત્રીઓના નામ નીચે મુજબ છે.
બી એલ વર્મા
અજય મિશ્રા
બનું પ્રતાપ સિંહ
અનુપ્રિયા પટેલ
પંકજ ચૌધરી
કૌશલ કિશોર
એસપી બધેલ
ગુજરાતના નેતાને લોટરી લાગે તેવી અટકળો!
હાલના મંત્રીઓમાંથી કેટલાક નેતાઓને પ્રમોશન આપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પ્રમોશન નેતાઓમાં 3 નેતાઓના નામ આગળ છે. એમ ચર્ચાઇ રહ્યું છે કે પરષોત્તમ રૂપાલાનું મંત્રી મંડળમાં કદ વધશે. ગુજરાતથી પરષોત્તમ રૂપાલાને મંત્રી મંડળમાં પ્રમોશન અપાશે. અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીનું મંત્રી મંડળમાં કદ વધશે સાથે જ અનુરાગ ઠાકુરને રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર અપાશે, આ નિર્ણય એ માટે લેવાય શકે છે કારણકે હિમાચલમાં આગામી ચૂંટણીમાં તેની અસર પડે.