કોરોના સંકટની વચ્ચે સંસદની પરંપરામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સંસદનું મોનસૂન સત્ર 14 સપ્ટેમ્બરે શરુ થવા જઈ રહ્યું છે. મોનસૂન સત્ર 1 ઓક્ટોમ્બરે પુરુ થશે. પરંતુ સંસદીય ઈતિહાસમાં પહેલીવાર કોર્યવાહીમાં પ્રશ્નકાળનો સમાવેશ નહીં થાય. લોકસભા પહેલા દિવસે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બેઠક થશે. બાકીના દિવસે લોકસભાની બેઠક બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી થાય છે.
સંસદનું મોનસૂન સત્ર 14 સપ્ટેમ્બરે શરુ થવા જઈ રહ્યું છે
મોનસૂન સત્ર 1 ઓક્ટોમ્બરે પુરુ થશે
લોકસભા પહેલા દિવસે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બેઠક થશે
લોકસભા સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલા સિડ્યૂલ અનુસાર સદનમાં પ્રાઈવેટ મેમ્બર બિઝનેસ નહીં થાય. આ રીતે રાજ્યસભા પહેલા દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યા સુધી બેસશે. પરંતુ બાકીના દિવસે સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શનિવાર અને રવિવારે રજા નહીં હોય. 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી કુલ 18 બેઠકો થશે. સદનમાં પ્રશ્નકાળ નહીં થાય પરંતુ શૂન્યકાળ થશે.
કોરોના સંક્રમણ દરમિયાન એજ સાંસદોને ભાગ લેવાની પરવાનગી મળશે જેમને બોલાવવામાં આવ્યા હોય. આની જાણકારી મેમ્બર પોર્ટલ પર આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ સાંસદને સદનને નોટિસ આપવી હોય તો તેને 9 સપ્ટેમ્બરથી પહેલા જણાવવું પડશે.