ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આ શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના ઘર છોડીને કાશ્મીર ઘાટીમાંથી બહાર કાઢવાની વાર્તા પર આધારિત છે. ફિલ્મની રિલીઝ પહેલા જ તેને લઈને જમણેરી અને ડાબેરીઓ વચ્ચે જોરદાર ચર્ચા ચાલી હતી.
ધ કશ્મીર ફાઈલ્સને લઈને છંછેડાયો વિવાદનો મધપૂડો
કેરળ કોંગ્રેસે અલગ-અલગ 9 ટ્વીટ કરતા દેશભરમાં ચર્ચા અને હંગામો
એક લાખ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હોવાની ટ્વીટમાં કરાઈ વાત
રિલીઝ પછી તો હંગામો વધુ વધી ગયો. જો કે આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં ઘણી કમાણી કરી રહી છે. પરંતુ જે ગતિએ કમાણી વધી રહી છે તે જ ગતિએ ફિલ્મ પર રાજનીતિ અને થિયેટરોમાં હંગામો પણ શરૂ થઈ ગયો છે. તે જ સમયે, કાશ્મીર ફાઇલ્સ વિશે ઘણી લાગણીઓ ઊભી થઈ છે.
Pandits left the valley en masse under the direction of Governor Jagmohan who was an RSS man. The migration started under the BJP-supported VP Singh government. #Kashmir_Files vs Truth (2/n) pic.twitter.com/10aUmdHjWM
એક તરફ લોકો કાશ્મીરી પંડિતોના હિજરતના દર્દથી નારાજ છે તો બીજી તરફ તેઓ હકીકતની બીજી બાજુ પણ રજૂ કરી રહ્યા છે. આજે કેરળ કોંગ્રેસે નવ ટ્વિટ કરીને હકીકત અને સત્યતાનો દાવો કર્યો છે, જેના પર જોરદાર વિવાદ થયો છે. આ અંગે ભાજપના નેતાઓએ પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે કોંગ્રેસને ઈતિહાસની ખબર નથી.
After the terrorist attacks, instead of providing Pandits security, BJP's own governor Jagmohan asked them to relocate to Jammu. A large number of Pandit families did not feel secure and left the valley in fear.#Kashmir_Files vs Truth (3/n) pic.twitter.com/NzgWUbbJdZ
ઉલ્લેખનીય છે કે, સિનેમાઘરમાં લોકોએ ફિલ્મ જોયા બાદ વ્યક્તિગત દર્દ મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે દેશના અનેક ભાગોમાં રહેલ સિનેમાઘરમાં કેટલીક લાંછલ લગાડનારી ઘટનાઓ બની હોવાની પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે. કેટલીક જગ્યાઓ પર સ્ક્રિનિંગ પણ રોકવામાં આવ્યું હોય તેવા બનાવો બન્યા છે. જમ્મુ-શિલોંગ અને અન્ય કેટલાક સ્થળોએ ફિલ્મને લઈને બબાલ જામી છે. દક્ષિણ ગોવામાં ટિકિટ નહીં આપવામાં આવતા હંગામો મચ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ ગોવાના કાર્યવાહ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ખૂદ પણજીમાં ધ કાશ્મીર ફાઈલ્સ જોવા ગયા હતા.
ફિલ્મના જણાવ્યા મુજબ, કાશ્મીરી પંડિતોના નરસંહારની સત્યતા અંગેની ચર્ચાએ હવે રાજકીય વળાંક લીધો છે. કોંગ્રેસના કેરળ એકમે કાશ્મીરી પંડિતોની હત્યા અને હિજરતને મુસ્લિમ સમુદાયની હત્યા સાથે સરખાવવાનો પ્રયાસ કર્યો છે. કેરળ કોંગ્રેસે આ અંગે નવ ટ્વીટ કર્યા છે. તેણે પહેલા ટ્વીટમાં કહ્યું કે આતંકવાદીઓએ ચોક્કસપણે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા છે. આ 17 વર્ષોમાં (1990-2007) 399 કાશ્મીરી પંડિતો આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા પરંતુ બીજી તરફ આ જ સમયગાળા દરમિયાન આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા મુસ્લિમોની સંખ્યા 15,000 હતી, જોકે બાદમાં ટ્વીટ ડિલીટ કરવામાં આવી હતી.
એક લાખ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હોવાની કરાઈ વાત
અન્ય ટ્વિટમાં, કોંગ્રેસે કહ્યું, "1984 પછીના કોમી રમખાણોમાં જમ્મુમાં 1,00,000 થી વધુ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હતા, પરંતુ પંડિતો સામે કોઈ બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી નથી. જગમોહન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે કાશ્મીરમાંથી પંડિતોની મોટા પાયે હિજરત થઈ હતી. રાજ્યપાલ RSSના માણસ હતા. પંડિતોની હિજરત ત્યારે થઈ જ્યારે કેન્દ્રમાં બીજેપીના સમર્થનથી વીપી સિંહની સરકાર હતી. પંડિતોની હત્યા કર્યા પછી, તેમને સુરક્ષા આપવાને બદલે, બીજેપી રાજ્યપાલ જગમોહને તેમને ત્યાંથી જવા કહ્યું. મોટી સંખ્યામાં પંડિતોએ સલામતી અનુભવી ન હતી અને ખીણ છોડી દીધી હતી. કાશ્મીરમાંથી પંડિતો ભાગી રહ્યા હતા તે સમયે અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે ભાજપ હિંદુ-મુસ્લિમ વિભાજનનું એન્જિનિયરિંગ કરી રહ્યું હતું.
ભાજપના શહજાદ પૂનાવાલા કૉંગ્રેસના "કાશ્મીર ફાઇલ્સ વર્સિસ ટ્રુથ"નો સામનો કરતી વખતે સામે આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે ઇસ્લામવાદી કોંગ્રેસે તે જ કર્યું છે જેમ નાઝીવાદથી સહાનુભૂતિ રાખનારાઓ હોલોકોસ્ટની ઘટનાને નકારે છે. કોંગ્રેસ કાશ્મીરમાં હિંદુ નરસંહારને વ્હાઇટવોશ કરીને તેને યોગ્ય ઠેરવી રહી છે. એટલા માટે કોંગ્રેસને હવે INC ને બદલે ઇસ્લામો નાઝી કોંગ્રેસ કહેવું જોઈએ. બીજેપી સાંસદ કેજે અલ્ફોન્સે ટ્વીટ કર્યું, કોંગ્રેસ હજુ પણ ઈતિહાસ સમજી શકી નથી. તે ઈતિહાસને વિકૃત કરવામાં વ્યસ્ત છે. દરેક વ્યક્તિ જાણે છે કે 1.5 લાખથી વધુ કાશ્મીરી પંડિતોને સાંપ્રદાયિક ધોરણે સત્તા-વિભાજનની રાજનીતિને કારણે રાજ્યમાંથી બહાર કાઢવા પડ્યા હતા. દરેક વ્યક્તિ જાણે છે કે તે સમયે કોંગ્રેસ અથવા તેના સમર્થિત સરકારો હતી.