કેવડિયામાં કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા વ્યંગ
પરસોતમ રૂપાલાના કોંગ્રેસને શબદબાણ
કોંગ્રેસે SOUમાં કાર્યકારિણી યોજવી જોઈએ:રૂપાલા
કોઈ કોંગ્રેસી અહીં ફરકતા નથી,કેટલો દ્વેષ? રૂપાલા
કેવડીયા કોનોનીમાં ભાજપની પ્રદેશ કાર્યકારિણીમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાક્ષીએ ગુજરાત કોંગ્રેસ પર શબદવેધી બાણ છોડી કોંગ્રેસનો આત્મા ઝક્ઝોરવા સાથે વ્યંગ કર્યા હતા.
કોંગ્રેસે યોજવી જોઈએ કાર્યકારિણી
ગુજરાતના નર્મદાના કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટીના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમની પ્રદેશ કાર્યકારિણી બેઠક છેલ્લા બે દિવસથી ચાલી રહી છે અને શુક્રવારે આ બેઠકનો અંતિમ દિવસ છે.બેઠકના બીજા દિવસે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ,કોંગ્રેસને ડાબા હાથે લેતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલને ઈતિહાસમાંથી ભૂલાવી દેવાનો કાર્યકમ કોંગ્રેસે કર્યો છે.સરદાર સાહેબ કોંગ્રેસી હતા,આમ છતાં કોઈ કોંગ્રેસી સ્ટેચ્યુ ઓફ યૂનિટી તરફ ફરકતા સુદ્ધાં નથી. કોંગ્રેસમાં આટલો બધો દ્વેષ હશે? તેમ કહીને ભારતીય જનતા પાર્ટીને અભિનદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને અભિનદન આપું છું કે, પ્રદેશ કાર્યકારિણી બેઠક અહીં સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં યોજી છે.ખરેખર તો, આવી કાર્યકારિણી બેઠક અહીં કોંગ્રેસે યોજવી જોઈએ. દેશમાં મહાન નેતાની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા માટે કોંગ્રેસે, વડાપ્રધાન મોદીનો આભાર માનવો જોઈએ
સરદાર વંદના સાથે શબદવેધ
ઉલ્લેખનીય છેકે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રહેતા નરેન્દ્ર મોદીએ,સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયાના સાધુબેટ પર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ'સ્વપ્ન'સાકાર થયું ત્યારે તેઓ વડાપ્રધાન તરીકે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના 'રાષ્ટ્રાર્પણ' માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીનો રોડ-મેપ આ તરી-દિવસીય કાર્યકારિણીમાં ચર્ચાના સ્થાને લેવાયો છે ત્યારે,કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સરદાર વંદના સાથે કોંગ્રેસ પર શબદ વેધી બાણ છોડ્યા હતા.