ગોંડલના અનિરુદ્ધસિંહે જયરાજસિંહ વિરુદ્ધમાં સભા સંબોધી આકરા પ્રહારો કરતા રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં
રિબડાના અનિરુદ્ધસિંહ ખુલીને જયરાસિંહનો વિરોધ કર્યો
અનિરુદ્ધસિંહે કોંગ્રેસને મત આપવા કરી અપીલ
ગોંડલ બેઠક ફરી ચર્ચામાં આવી છે. ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. અનિરુદ્ધસિંહે ગોંડલમાં જયરાજસિંહ વિરુદ્ધ ગોંડલના દેરજી કુંભાજી ગામમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રિબડાના અનિરુદ્ધસિંહ ખુલીને જયરાસિંહનો વિરોધ કર્યો હતો. અનિરુદ્ધસિંહે કોંગ્રેસને મત આપવા આપવા લોકોને હાંકલ કરતા રાજકારણ ગરમાયુ છે. આ સભામાં તેમણે જયરાજસિંહ આકરા પ્રહારો પણ કર્યા હતા.
અનિરુદ્ધસિંહએ કર્યા આકરા આક્ષેપો
બંધારણ બચાવો મહાસંમેલનના નેજા હેઠળ સભા યોજાઇ હતી. જેમાં અનિરુદ્ધસિંહએ ખુલ્લેઆમ આક્ષેપ કરતા કહ્યું હતું કે આ પંથકમાં જયરાજસિંહની ગેંગ દલિત પર અત્યાચાર કરી રહી છે. વધુમાં ગોંડલમાં જેલર સામે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગોંડલની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામ સામે થતાં હવે આ લડાઇના ભાજપે માઠા પરીણામ ભોગવવા પડશે કે કેમ તે જોવું રહ્યું !
અગાઉ જયરાજસિંહે અનિરુદ્ધસિંહને પડકાર ફેંક્યો હતો
મહત્વનું છે કે ગત શનિવારે જયરાજસિંહે અનિરુદ્ધસિંહને પડકાર ફેંક્યો હતો. ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવારના ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓને સ્ટેજ પરથી વિરોધીઓને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે 'આ ગામમાં આગેવાનીમાં મેં શું ઘટવા દીધું, તમારા ગામનો કાલ સવારનો છોકરો સહદેવ એને ઉપાડીને હું જિલ્લા પંચાયતમાં લઈ ગયો અને એને મેં કારોબારીનો ચેરમેન બનાવ્યો. જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી ગરાસિયાનો દીકરો જિલ્લા પંચાયતનો ચેરમેન પહેલીવાર બન્યો છે. એ બધું ભૂલાઈ ગયું? પહેલા તો વડીલોને મારો ઠપકો આપ્યો છે કે જ્યારે તમારા ગામમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે તમે વડીલો તરીકે ભૂમિકા શું ભજવી? શું તમે એને થપકો દીધો? એને મેં ઉપાડીને જિલ્લામાં મુક્યો.
મુખ્ય પોસ્ટ ઉપર મુક્યો. એવી રીતે સિદ્ધરાજને મેં ઉપાડીને તાલુકાનો ચેરમેન બનાવ્યો. જયરાજસિંહ જાડેજા સામે ટિકિટ માંગવા નીકળા હતા તમારી હેસિયત શું છે? જયરાજસિંહ જાડેજા જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈને ટિકિટ મળવાની નથી લખવું હોય ત્યાં લખી લો. જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં ઘરડો થઈ ગયો છે અને આ લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો છે.' તેમ જયરાજસિંહએ જણાવ્યું હતું.