ગુજરાત ભાજપના પ્રભારી બદલાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે એવામાં બે નામો હાલ ચર્ચામાં છે
ગુજરાતની રાજનીતિને લઈ આવ્યા મોટા સમાચાર
ભાજપના નવા પ્રભારી તરીકે આ નામનો ચર્ચામાં
ઓમ માથુર અગાઉ પણ રહી ચુક્યા છે પ્રદેશ પ્રભારી
ગુજરાત ભાજપના પ્રભારી બદલાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે એવામાં બે નામો હાલ ચર્ચામાં છે એક નામ ઓમ માથુર છે જે ગુજરાતમાં વર્ષ 2007 થી જ સક્રિય છે જ્યારે બીજુ નામ પ્રકાશ જાવડેકરનું મનાઈ રહ્યું છે પ્રકાશ જાવડેકર કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે અને માનવ સંસાધન મંત્રાલય પણ સંભાળી ચુક્યા છે.
ભાજપના નવા પ્રભારી તરીકે આ નામનો ચર્ચામાં
મહત્વનું છે કે ગઈ કાલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેબીનેટ વિસ્તરણ કર્યું જેમાં કુલ 43 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાંથી 15 કેબીનેટ, 28 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રભારે ભુપેન્દ્ર યાદવનો મંત્રી મંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રભારીની જગ્યા ખાલી પડી છે.ત્યારે ગુજરાત ભાજપના નવા એવામાં નવા પ્રભારી કોણ બનશે તેવી ચર્ચાઓ વેગ પકડી રહી છે ત્યારે બીજી નામ પ્રકાશ જાવડેકરનું પણ ચર્ચાઈ રહ્યું છે. પ્રકાશ જાવડેકર કેન્દ્રમાં માનવસંસાધન મંત્રી તરીકેનો હવાલો સંભાળી ચુક્યા છે.
કેવી હતી ભાજપના પૂર્વ પ્રભારીની કામગીરી
કોરાના કાળમા ખરડાયેલી સરકારની છબીને સુધારવા માટે પૂર્વ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવે સંગઠનના મોટ નેતાઓથી લઈને રાજ્યના કેબિનેટમંત્રી, ધારાસભ્ય સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તેમજ ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરીને હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી અને આગામી ચૂંટણીઓ માટે સરકાર અને સંગઠનને રોડમેપ તૈયાર કરવા સૂચનાઓ આપી હતી.
સંગઠનને વધારે મજબૂત બનાવવા રોડમેપ તૈયાર કર્યો
ભુપેન્દ્ર યાદવે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પણ બેઠક યોજીને સંકલન કરવા માટે સૂચના આપી હતી. તેમજ આગામી દિવસોમાં સરકાર અને સંગઠન સાથે ચાલે તેવી રણનીતિ પણ ઘડવામાં આવી હતી અને હવે અચાનક તેઓ કેબિનેટ મંત્રી બનતા હવે ગુજરાતમાં ભાજપ પ્રભારીની બેઠક ખાલી પડી છે.
નવા ભાજપ પ્રભારીને સામે હશે ચેલેન્જ
ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના પ્રભારી તરીકે મહત્વની જવાબદારી નિભાવી ચક્યા છે અમિત શાહના વિશ્વાસુ મનાતા યાદવે ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ ત્યારે ગુજરાતમાં એન્ટ ઈન્કમબન્સી તેમજ આંદોલન જેવો માહોલ હતો તેવા સમયે ભુપેન્દ્ર યાદવે પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી 99 બેઠકો પર જીત હાંસલ કરાવીને રાજ્યમાં ભાજપની સરકાર બનાવી હતી હવે ભુપેન્દ્ર યાદવની કેન્દ્રમાં પંસદગી કરાતા તેઓની જગ્યા ખાલી પડી છે ત્યારે નવા નામોની ચર્ચાએ તેજ બની છે.
ડૉ.અનિલ ગુપ્તા હાલ ભાજપના સહ પ્રભારી તરીકે
ભુપેન્દ્ર યાદવનો મંત્રી મંડળમાં સમાવેશ કરાતા હવે ડૉ.અનિલ ગુપ્તા હાલ ભાજપના સહ પ્રભારી તરીકે કાર્યરત છે ત્યારે આગામી સમયમાં ભાજપ પ્રદેશ પ્રભારીની નિયુક્તિ થનાર છે ત્યારે ઓમ માથુર અને પ્રકાશ જાવડેકરનું નામ ચર્ચાઈ રહ્યું છે.