પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ,ગઠબંધન સાથે ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. તો ઉતર પ્રદેશમાં ભાજપ ભારે બહુમતીથી જીતે તેવો ગૃહમંત્રી અમિત શાહને વિશ્વાસ.
પંજાબમાં હવે કોઈ મુદ્દો નથી બચ્યો;શાહ
યુપીમાં ફરી સરકાર બનાવશે ભાજપા
BJP પંજાબમાં કરી શકે છે ગઠબંધન
પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ,ગઠબંધન સાથે ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ માટે પાર્ટી તરફથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘ અને શિરોમણી અકાલીદળના પૂર્વ નેતા સુખદેવસિંહ ઢીંઢસા સાથે વાતચિત ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, અમે કેપ્ટન સાહેબ (અમરિંદર સિંઘ ) અને ઢીંઢસા સાહેબ સાથે વાતચિત કરી રહ્યા છીએ.સંભાવના છે કે, અમે તેમના દળો સાથે ગઠબંધન કરીએ.અમે સકારાત્મક રીતે તેમની સાથે વાતચીતમાં છીએ.
પંજાબમાં હવે કોઈ મુદ્દો નહિ
ખેડૂત આંદોલન બાબતે શાહ એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાને રદ્દ કરીને દરિયાદિલી દર્શાવી.શ્રી શાહે કહ્યુકે, ખેડૂતોનું આંદોલન હવે સમાપ્ત થાય એ માટે વડાપ્રધાને મોટું દિલ દર્શાવતા ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરી દીધા.હવે હું નથી માનતો કે પંજાબમાં કોઈ મુદ્દો બચ્યો હોય.ચૂંટણી મેરીટના આધારે લડાશે.
મુખ્યમંત્રીની ખુરશી ગુમાવ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંઘ કોંગ્રેસથી અળગા થઇ ગયા છે. તેમને છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી બનાવી હતી. જ્યારે ઢીંઢસાએ શિરોમણી અકાલીદાલથી અલગ થઈને શિરોમણી અકાલીદળ ( સંયુક્ત ) નામથી પાર્ટી બનાવી હતી.
પંજાબમાં ભાજપ લાંબા સમય સુધી શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડતી રહ્યો છે. જો કે, કૃષિ કાયદા મુદ્દે બંને દળો વચ્ચે વર્ષો જૂનું ગઠ બંધન તૂટી ગયું હતું. બીજી તરફ,ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તા પર છે. અને ત્યાં ફરીથી સત્તા પર આવવા માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહ્યો છે.
અમિત શાહે એક સમિટમાં કહ્યું કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ખેડૂત આંદોલનની બહુ ઓછી અસર છે. તેમને કહ્યું કે, અખિલેશના નેતૃત્વમાં બહલે કેટલાય દળ ગઠબંધન કરી રહ્યા હોય પરંતુ રાજનીતિ,ફીઝીક્સની નથી કેમેસ્ટ્રી છે. જ્યારે બે દળ હાથ મિલાવતા હોય ત્યારે જરૂરી નથી કે બંનેના વોટ જોડાય. જ્યારે બે કેમિકલ મળે ત્યારે ત્રીજા કેમિકલનું નિર્માણ થાય છે.
યૂપીમાં ફરી બનશે સરકાર
ગૃહ મંત્રીએ કહ્યું કે, આપને પહેલા પણ જોયું છે કે, જ્યારે સપા, અને કોંગ્રેસે હાથ મિલાવ્યા હતા અને બાદમાં ત્રણેય (સપા,બસપા,અને કોંગ્રેસ) સાથે આવી ગયા હતા. તેમ છતાં જીત ભાજપાની થઇ .લોકો જાગરુક છે વોટ બેન્કના આધારે બનતું ગઠબંધન હવે લોકોનું માર્ગ દર્શન નથી કરી શકતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નેતૃત્વમાં લડાશે. હું ઉત્તર પ્રદેશ ગયો હત.અને વિશ્વાસ સાથે કહી શકું છું કે ત્યાં ભાજપ ભારી બહુમતીથી સરકાર બનાવશે.