કચ્છના ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની ઘટના બાદ રાજકારણ ગરમાયું, આજે કોંગ્રેસના ચાર ધારાસભ્ય રાજ્યના પોલીસ વડાને મળવા પહોંચ્યા જ્યાં પરિવારને રક્ષણ સહિત 13 મુ્દાઓને રજૂઆત કરી
કોંગ્રેસના 4 ધારસભ્યોની રાજ્યના DGPને રજૂઆત
કચ્છમાં મંદિર પ્રવેશ મારા-મારી બાબતે કરી રજૂઆત
કચ્છની ઘટનાના મુદ્દે ગરમાયુ રાજ્યનું રાજકારણ
કચ્છના ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની ઘટના સામે આવી હતી જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કચ્છના ભચાઉના નેર ગામે દલિત પરિવારને મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાના મુદ્દે કેટલાક લોકો દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે તો બીજી તરફ ભાજપ મંત્રીઓ દ્વારા પણ કોંગ્રેસના આક્ષેપ પર પલટવાર શરૂ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ 4 ધારસભ્યોની રાજ્યના DGPને રજૂઆત
ઘટનાને લઈને આજે કોંગ્રેસનું 4 ધારાસભ્યો મળ્યા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી,વિરજી ઠુમ્મર,અનિલ જોશીયારા, પૂજાભાઈ વંશ સહિતના ધારાસભ્યએ આજે પીડિત પરિવારને પોલીસ સંરક્ષણ પુરુ પાડવા સહિત 13 જેટલા મુદ્દાઓને રાજ્ય પોલીસ વડા સમક્ષ રજૂકરી હતી. મહત્વનું છે કે ભચાઉના નેર ગામના મંદિરમા પ્રાણ -પ્રતિસ્થા હોવાથી દલિત પરિવાર દર્શનાર્થે ગયો હતો ત્યા જાતીવાદનુ ઝેર રાખી કેટલાક શખ્શોએ હુમલો કર્યો હતો જેના પડઘા સમ્રગ રાજ્યમાં પડ્યા છે અત્યાર સુધી આ પોલીસે16 લોકો સામે ફરિયાદ નોંધી છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામા આવી છે.બાકીના આરોપીઓને પકડવા માટે પૂર્વ કચ્છ પોલીસનુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
ભચાઉમાં દલિત પરિવાર પર થયેલ હુમલાનો મામલો
મંદિરમાં આવવનાર દલિત પરિવાર મંદિરમાં કેમ પ્રવેશ્યો જેનું મન દુ:ખ રાખી પરિવાર પર 16થી વધુ લોકોએ હુમલો કર્યો જેમાં પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો જો કે સ્થાનિક પોલીસે હુમલો કરનાર 16 આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો લગાવી ફરિયાદ નોંધી છે. જેમાં 16 આરોપીઓ પૈકી 5 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ તો પોલીસે 9 જેટલી ટીમો બતાવી ફરાર આરોપીઓને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારનું નિવેદન
જો કે હવે દલિત પરિવાર પર હુમલાને પગલે રાજકારણ શરુ થઈ ગયું છે. કચ્છના ભચાઉમાં દલિત પરિવાર પર થયેલા હુમલા મામલે કોંગ્રેસે ફરાર આરોપીઓને શોધી તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો સમગ્ર મામલે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે પણ નિવેદન આપતા જણાવી ચુક્યા છે કે જે દિવસે ઘટના બની ત્યારે કલેક્ટર અને એસપી સાથે ચર્ચા કરી હતી અને ફરિયાદની કોપી મંગાવી કઈ કલમો લગાવી તેનો અભ્યાસ કર્યો હતો.
નૌશાદ સોલંકી માત્ર ટ્વીટ કરે છેઃ પ્રદીપ પરમાર
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે નૌશાદ સોલંકી માત્ર ટ્વીટ કરે છે, એક ઘટનાને લઈને રાજ્યને બદનામ ના કરવું જોઈએ, આવી કોઈ પણ ઘટના વખોડવા લાયક છે. મહત્વનું છે કે હાલ તો કોંગ્રેસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને ન્યાયીક તપાસની માંગ કરી છે. મંદિરમાં પ્રવેશ કરવા મુદ્દે દલિત પરિવાર પર થયેલા હુમલા અંગે પોલીસે ફરાર આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે જ્યારે પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.