યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતાઓના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા લઈને એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 200 કરોડની કરચોરી ઝડપાઈ છે.
ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે.
દરોડા અંગે અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
મારા દુશ્મનો પણ મારા વિશે ખોટું બોલતા નથી- રાજીવ રાય
ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે.
સૌથી મોટી વાત એ છે કે ઘણા લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. તમામ અખિલેશ યાદવની નજીક છે. આજે 12.30 વાગ્યે અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ગઈકાલે પણ તેમણે દરોડા મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સરકાર સંસ્થાઓ દ્વારા ચૂંટણી લડી રહી છે.
દરોડા અંગે અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
ભાજપ પર કટાક્ષ કરતા અખિલેશે કહ્યું કે, આ જનતાની ચૂંટણી છે. જ્યાં ભાજપને હારનો ડર છે. તેથી જ આઈટી વિભાગ યુપીમાં આવી રહ્યું છે. જેના પર ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
મારા દુશ્મનો પણ મારા વિશે ખોટું બોલતા નથી- રાજીવ રાય
રાજીવ રાયે કહ્યું, "આજ થી પહેલા, જો મારા નામની સામે કોઈ વિવાદ થયો હોય અથવા ક્યાંકથી કંઈ થયું હોય, તો મને જણાવો. મારા દુશ્મનો પણ મારા વિશે ખોટું બોલતા નથી. હું ટૂંક સમયમાં લખનૌ પહોંચીશ અને તેને મળીશ. મારા ઘણા પત્રકાર સાથીઓએ અગાઉ પણ કહ્યું હતું કે તમે ભાજપ પર આકરા પ્રહારો કરો છો, તેથી તમારે બચીને રહેવું જોઈએ.
કેવી રીતે દરોડો પડ્યો, રાજીવ રાયે આપી સંપૂર્ણ માહિતી
રાજીવ રાયે જણાવ્યું કે, 18મીએ સવારે 7:00 વાગ્યે, આવકવેરાની ટીમે સવાર સવારમાં રાજીવ રાયના મઉ સ્થિત પોતાના રહેઠાણમાં ઓફિસ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.તે સમયે સૂઈ રહેલા રાજીવ રાયને ઉઠાડીને પોતાનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યવાહી તેમના લગભગ પાંચથી છ સ્થળોએ એક સાથે કરવામાં આવી હતી, જેમાં સપા નેતાનો આરોપ છે કે તેમને અને તેમના પરિવાર અને સંબંધીઓને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ITએ રાજીવ રાયના ઘરેથી ખર્ચ માટે રાખેલા પૈસા છોડી દીધા
આ કાર્યવાહીમાં આવકવેરા ટીમને રાજીવ રાયના મઉના ઘરેથી 17 હજાર ઘરના ખર્ચ માટે રાખવામાં આવેલા પૈસા મળ્યાં હતાં, જે ટીમે છોડી દીધા હતાં. રાજીવ રાયે જણાવ્યું હતું કે, તેમના મોબાઈલનો આખો ડેટા આઈટીની ટીમે ક્લોન કરી લીધો છે. જ્યારે રાજીવ રાયને પૂછવામાં આવ્યું કે, શું કોઈ વિભાગીય અધિકારીઓ દ્વારા કોઈ ગેરવર્તણૂક થઈ છે, તો તેમણે કહ્યું કે ના, અધિકારીઓના સ્વભાવ ખૂબ સહકારી હતો.