બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતમાં ઘટેલી દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું, સામસામે આવી ગયા ભાજપ-કોંગ્રેસના આ નેતા

નિવેદન / સુરતમાં ઘટેલી દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું, સામસામે આવી ગયા ભાજપ-કોંગ્રેસના આ નેતા

Last Updated: 07:27 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા ડૉ.શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે, સુરતની ઘટનાને પ્રતિપક્ષ રાજનીતિક મુદ્દો બનાવી રહ્યા છે, પોલીસ દુષ્કર્મના કેસમાં કડક તપાસ અને કાર્યવાહી કરી રહી છે.

સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે હવે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના નેતાએ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. જોકે હવે કોંગ્રેસ નેતાના ટ્વીટ પર ભાજપ પ્રવક્તા ડૉક્ટર શ્રદ્ધા રાજપૂતે વળતો પ્રહાર કર્યો છે. તેમણે વિપક્ષ પર આ મુદ્દાને રાજનીતિક મુદ્દો બનાવવાનો આક્ષેપ કર્યો છે.

"સુરતની ઘટનાને પ્રતિપક્ષે રાજનીતિક મુદ્દો બનાવ્યો"

કોંગ્રેસ નેતાના ટ્વિટ પર પ્રહાર કરતા ભાજપ પ્રવકતા ડૉ.શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે, સુરતની ઘટનાને પ્રતિપક્ષ રાજનીતિક મુદ્દો બનાવી રહ્યા છે. પ્રતિપક્ષે રાજનીતિક મુદ્દો ત્યારે બનાવવો જોઈએ જ્યારે સરકાર કે પોલીસ એક્શન ન લે. પોલીસ આરોપીને છાવરે કે સરકાર આરોપીને છાવરે તો રાજનીતિ કરે તે યોગ્ય પરંતુ વિરોધ ફકત રાજનીતિ કરવા માટે કરતા હોય એમ લાગે છે. વધુમાં કહ્યું કે, પોલીસ દુષ્કર્મના કેસમાં કડક તપાસ અને કાર્યવાહી કરી રહી છે. મહેરબાની કરીને આવા મુદ્દે રાજનીતિ કરશો નહિં.

આ પણ વાંચો: પરેશ ગોસ્વામીની નવી આગાહી: સૌરાષ્ટ્ર-દ. ગુજરાત પર વરસાદનું જોર રહેશે યથાવત, નોંધી લેજો આ તારીખ

PROMOTIONAL 11

મનીષ દોશીએ સરકાર પર કર્યા હતા પ્રહાર

દુષ્કર્મની ઘટનાઓ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતા. તેમણે કહ્ હતું કે, નવરાત્રીના પાવન દિવસોમાં અનેક દુષ્કર્મની ઘટના ઘટી. આરોપીઓએ માસૂમ દીકરીઓને પીંખી નાખી. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી છે. ગૃહ વિભાગ કાયદામાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. તેઓ વાતો મોટી મોટી કરે છે. પરંતુ હકીકતમાં નાગરિકોને સલામતી આપવામાં ગૃહવિભાગ સદંતર નિષ્ફળ નીકળ્યું છે. મનીષ દોશીએ ગૃહવિભાગ પાસે માગ કરી કે આરોપીઓને કડક સજા કરવામાં આવે અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર રહે તેવા પગલાં ભરવામાં આવે. ભાજપએ સલામત ગુજરાતની વાત કરી. પણ સૌથી વધુ મહિલાઓ અસલામત છે. ત્યારે આરોપીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ મનીષ દોશીએ કર્યો હતો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shraddha Rajput Statement Manish Doshi Statement Surat Rape Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ