બસપા ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે બુધવારે એક ટ્વીટમાં નોટો પરના ફોટાને લઈને નવી માંગણી કરી
અરવિંદ કેજરીવાલ બાદ હવે ચલણી નોટો પર ફોટાને લઈ રાજકારણ ગરમાયું
AAP-કોંગ્રેસ અને હવે બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ કરાઇ માંગ
માયાવતીના ભત્રીજા આકાશ આનંદે ભારતીય ચલણ પર બાબાસાહેબના ફોટોની માંગ કરી
દેશમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ નોટો પર ફોટાની માંગ તેજ થઈ ગઈ છે. તેમણે નોટો પર મા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવાની માંગ કરી હતી. જે બાદ કોંગ્રેસ નેતા મનીષ તિવારીનું નિવેદન આવ્યું છે. હવે આ મામલે બસપા દ્વારા નવી માંગણી કરવામાં આવી છે.
વાત જાણે એમ છે કે, બસપા ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે બુધવારે એક ટ્વીટમાં નોટો પરના ફોટાને લઈને નવી માંગણી કરી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, "બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને હિલ્ટન યંગ કમિશન સમક્ષ રજૂ કરાયેલ માર્ગદર્શિકા મુજબ, 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અસ્તિત્વમાં આવી હતી. તેથી જો ભારતીય ચલણ પર કોઈની તસવીર હોવી જોઈએ તો તે બાબાસાહેબની તસવીર હોવી જોઈએ.
हिल्टन यंग कमीशन के समक्ष बाबासाहेब डॉ भीमरावअंबेडकर द्वारा निर्धारित और प्रस्तुत दिशानिर्देशों के अनुसार 1 अप्रैल 1935 को भारतीय रिजर्व बैंक (RBI) अस्तित्व में आया था।
इसलिए अगर किसीकी तस्वीर होनी ही है तो वो बाबासाहेब की तस्वीर होनी चहिए भारतीय करेंसी पर । pic.twitter.com/RAIOxlJ1PI
અરવિંદ કેજરીવાલે સૌપ્રથમ કહ્યું હતું કે, "દિવાળીની પૂજા દરમિયાન મનમાં એક લાગણી આવી કે, ભારતીય ચલણ પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર હોવી જોઈએ. જોકે હું એમ નથી કહેતો કે આવું કરવાથી માત્ર સુધારો થશે. અર્થવ્યવસ્થા, તેના માટે ઘણાં પગલાંની જરૂર છે. પરંતુ તે પગલાંનું ફળ ત્યારે જ મળે છે જ્યારે દેવી-દેવતાઓના આશીર્વાદ હોય.
આ પછી કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ ટ્વીટ કરીને માંગ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, "નવી નોટોની શ્રેણી પર શા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરો નથી ? એક તરફ મહાન મહાત્મા અને બીજી તરફ ડૉ. આંબેડકર. અહિંસા, બંધારણવાદ અને સમાનતાવાદ એક અનોખા સંઘમાં ભળી રહ્યા છે જે સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. આધુનિક ભારતીય પ્રતિભા સાથે જોડાશે." જોવામાં આવે તો મનીષ તિવારીએ પોતાના નિવેદન દ્વારા બસપાની માંગણી રાખી છે.