રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી પોતાના 'પોકેટ બેલ્ટ' રાજૂલા-જાફરાબાદની મુલાકાતે , હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને ભાઈઓએ કોળી સમાજના અગ્રણીઓ સાથે કરી મુલાકાત.
કોળી આગેવાન પરસોત્તમ સોલંકી પ્રવાસે
હીરા અને પરસોત્તમ સોલંકી રાજૂલા-જાફરાબાદમાં
વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં બંને ભાઈઓ
ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ આગામી નવેમ્બર-2022 સુધી છે અને સમયસર જો થાય તો ચૂંટણી આગામી ડીસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાય. આ પૂર્વે અઢી ત્રણ મહિના પહેલા રૂપાણી સરકારની વિદાય અને રાજ્યના નવા સરદાર ભૂપેન્દ્ર પટેલનો શપથવિધિ થયો ત્યારથી એક અટકળ વહેતી થઇ છે કે ,સમય પહેલા ગુજરાતમાં ચૂંટણી આવી શકે છે. જો કે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી માટે સજ્જ થવા કહી રહ્યા છે.સાથે એવું પણ કહે છે કે, ગુજરાતમાં ચૂંટણી સમયસર થશે.નિવેદનો અને તૈયારીઓ તેની જગ્યાએ છે. પરંતુ જે રીતે સામાજિક ગતિવિધિઓ થઇ રહી છે,તેની તૈયારી જોતા એવું કહી શકાય કે, ચૂંટણી દૂર તો નથી જ. એક તરફ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી પોતાના 'પોકેટ બેલ્ટ' રાજૂલા-જાફરાબાદની મુલાકાતે ગયા હતા. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને ભાઈઓએ કોળી સમાજના સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. હજુ 15-20 દિવસ પહેલા જ કુંવરજી બાવળીયા આ વિસ્તારમાં મોટી જનસભા સંબોધી ગયા હતા. ત્યારે, પરસોત્તમ સોલંકીએ પણ સામાજિક સંપર્કો શરુ કરી દીધા છે.
સમાજના 'ભાઈ'નું પંથકમાં વજૂદ
મુંબઈમાં 1992 સુધી નગર સેવક રહેલા પરસોત્તમ 'ભાઈ'ગુજરાત આવી ને ભાવનગરથી અપક્ષ ઉમેદવાર તરીકે 11મી લોકસભા ચૂંટણી લડ્યા. અને ભાપ્ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાણા સામે માત્ર 7,771નાં નજીવા તફાવતથી ચૂંટણી હાર્યા હતા. પરસોતમ સોલંકી તત્કાલીન મુખ્યમંત્રી ભાઈ હીરા સોલંકી સાથે ભાજપમાં જોડાયા હતા અને ટીકીટ મેળવવામાં સફળ રહ્યા હતા.ત્યારથી આજ સુધી મંત્રી મંડળ કે ટીકીટમાં સોલંકી બંધુઓ કપાયા કે પછી ટીકીટથી વંચિત રહ્યા. ફિશરીઝ મંત્રી તરીકે તેમના પર લાગેલા રૂપિયા 400 કરોડના કૌભાંડ જો કે, હીરા સોલંકીએ હાર ખમવી પડી છે.પરંતુ પરસોત્તમ સોલંકીનો દબદબો યથાવત રહ્યો. મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદી અને આનંદી બહેને પરસોત્તમ ભાઈને મંત્રી મંડળમાં નહોતા સમાવ્યા.પણ રાજનીતિક દબાણને વશ થઈને પાછળથી તેમને મંત્રી મંડળમાં સમાવવા પડ્યા હતા. રાજુલા પંથકમાંથી પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી 1998 થી 2017 સુધી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા.છેક 2017 માં કોન્ગ્રેસના અમરીશ ડેર સામે પરાજીત થયા હતા. બંને સોલંકી બંધુઓ સતત 20 વર્ષ વિધાનસભામાં સાથે રહ્યા હોય તેવો રેકર્ડ છે.
નેતાઓ 'સમાજની ઈચ્છા 'પર અવલંબે છે
ગુજરાતમાં સામાજ આધારિત રાજનીતિ તેજ થઇ ગઈ છે. હજુ આજે જ ખોડલ ધામ નાં ટ્રસ્ટી અને પાટીદાર આગેવાન નરેશ પટેલે 'સામાજિક ઈચ્છા'થી રાજકારણમાં આવવાની વાત કહેતા, મોટો સવાલ ઉભો થયો,નરેશ પટેલ કોના ? ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ તરફથી પટેલને પોતાની પાર્ટીમાં જોડાવવા આમંત્રણ મળ્યું છે ત્યારે, 'સમાજેચ્છા બલિયસી કેવલમ'કહી નરેશ પટેલે, જંગલની આગ માફક 'રાજનીતિક હવા; તેજ કરી દીધી છે. પાટીદાર, OBC સહિતના સમાજ હવે સમાજની શક્તિ'નાં ત્રાજવે તોળાઈને પલડું ભારે કરાવવાની કવાયદમાં લાગી ગયા છે