વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામના કેસમાં જેલમાંથી જામીન મેળવી દિલ્હીથી ગત મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં દલિત સમજાના આગેવાનો તેમજ સમર્થકોએ જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા સારંગપુર ખાતે જઈ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ વાડજના રામાપીરના ટેકરા ખાતે "સત્યમેવ જયતે જનસભા" સંબોધી હતી. આ દરમિયાન હાલમાં જ કોંગ્રેસનો હાથ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા AAPનેતા વશરામ સાગઠીયા આ કાર્યક્રમમાં હાજર રહેતાં ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી ગયો હતો.
કોંગ્રેસ સાથે છેડો ફાડી AAPમાં જોડાયેલા વશરામ સાગઠીયા મંચ પર દેખાયા
ઉલ્લેખની છે કે, તાજેતરમાં વશરામ સાગઠીયાએ કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ રાજીનામું આપી દીધું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ખળભળાટ સર્જાયો હતો. વશરામ સાગઠિયા રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા હતાં. મહત્વનું છે કે, વશરામ સાગઠીયાએ પાર્ટી છોડતાં પહેલા કહ્યું હતું કે, પુષ્કળ મહેનત કરવા છતાં પણ લોકો કોંગ્રેસને મત આપવાના નથી તેવું મન બનાવીને બેઠા છે. AAP રાજકોટમાં પહેલી વખત ચૂંટણી લડી છતાં બીજા નંબરની પાર્ટી રહી. તેમની શિક્ષણનીતિ અમે જોઈ છે. રાજકોટ અને ગુજરાતમાં શિક્ષણમાં ખુબ મોટો ફેર છે. એમના વિચારો રાષ્ટ્રવાદી છે, તેમના વિચારો બધાને સાથે લઈને ચાલનારા છે. તેમ કહીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયાં હતાં.
ત્યારે ગત રોજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામના કેસમાં જેલમાંથી જામીન મેળવી દિલ્હીથી ગત મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં દલિત સમાજના આગેવાનો તેમજ સમર્થકોએ જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસનો સાથ છોડીને AAPમાં ચાલ્યા ગયેલા AAPનેતા વશરામ સાગઠિયાએ કોંગ્રેસના સત્તાવાર કાર્યક્રમમાં હાજર રહેતાં રાજકીય ચર્ચઓએ જોર પકડ્યું હતું.