જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ સુપ્રિમો ફારૂક અબ્દુલ્લાએ મંગળવારે કોંગ્રેસ વિશે કહ્યું હતું કે કહ્યું કે આ પાર્ટી હવે નબળી પડી ગઈ છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ CMએ આપી સલાહ
ફારક અબ્દુલ્લાએ કહ્યું, કોંગ્રેસને જાગવું જરૂરી છે
દેશહિત માટે કોંગ્રેસની મજબૂતી જરૂરી છે : અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ સુપ્રિમો ફારૂક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પાર્ટીને કહ્યું હતું કે તે નબળી પડી છે. એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં અબ્દુલ્લાએ કહ્યું કે જો દેશને બચાવવો હોય તો કોંગ્રેસને અડગ રહેવું પડશે. તેમણે કહ્યું કે આ કામ ઘરે બેસીને નહીં કરી શકાય. મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370ની જોગવાઈઓને રદ કર્યા પછી અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને જાહેર સલામતી કાયદા હેઠળ લગભગ સાડા સાત મહિના સુધી નજરકેદ કરવામાં આવ્યા બાદ તેને 13 માર્ચ 2020 માં છૂટા કરવામાં આવ્યા હતા.
'દેશને બચાવવા માટે કોંગ્રેસને જાગવું પડશે'
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કોંગ્રેસ નબળી પડી છે. હું આ પ્રામાણિકપણે કહું છું. જો દેશને બચાવવો હોય તો કોંગ્રેસને જાગીને મજબૂત ઉભા રહેવું પડશે. તેઓએ લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે જોવું પડશે. તે ઘરે બેસીને નહીં થાય. મહત્વનું છે કે ફારૂક અબ્દુલ્લા કલમ 370ની નાબૂદીની વિરુદ્ધ હતા. ગયા નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરની વિશેષ દરજ્જો નાબૂદ થયાના એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે, જો કે આ પછીની જમ્મુની તેમની પ્રથમ રાજકીય રેલીમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જ્યાં સુધી આ રાજ્યના લોકોના બંધારણીય અધિકારને પુન:સ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મરવાના નથી.
અબ્દુલ્લાએ ભાજપને પડકાર્યો
8 માર્ચે ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર સંઘ શાસિત પ્રદેશમાં ભાજપને સરકાર બનાવવા માટે પડકાર આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના જમ્મુ-કાશ્મીર એકમ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરકાર બનાવવાનું વચન આપ્યાના એક દિવસ પછી, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ તેને નકારી કાઢ્યો અને કહ્યું, "હું તે કેવી રીતે થાય છે તે જોઈશ." આ મામલે અબ્દુલ્લા અને અન્ય નેતાઓએ ભાજપ પર કથિત ટીકા કરી હતી. ચૂંટણી સમયે 'પાકિસ્તાની' તરીકે લેબલ લગાવતા અને લોકોને 'ધર્મ અને દ્વેષની રાજનીતિ' કરતા લોકોથી દૂર રહેવા વિનંતી કરી હતી.