પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપની લડાઇ ચરમ સીમાએ પહોંચ્યો છે. હવે બંને વચ્ચે એકબીજાના પાર્ટી કાર્યલય પર કબજો કરવાને લઇને મારામારી શરૂ થઇ ગઇ છે. ઉત્તર 24 પરગના જિલ્લામાં મમતા બેનર્જી જાતે ભાજપ કાર્યાલયનું તાળુ તોડવા પહોંચ્યા હતા.
તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)એ દાવો કર્યો છે કે આ કાર્યાલય ટીએમસીનું છે જેના પર ભાજપે કબ્જો કરી લીધો હતો. ખરેખર તો 30મેના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કેબિનેટ સાથે દિલ્લી ખાતે શપથ લઇ રહ્યાં હતા ત્યારે જ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં મમતા બેનરજી ધરણાં પર બેઠા હતા.
નૈહાટીમાં રેલીને સંબોધન કર્યા બાદ મમતા બેનર્જી ભાજપના કાર્યલય પહોંચી. મમતા બેનર્જીએ પોતાની સામે ભાજપ કાર્યાલયનું તાળુ તોડાવ્યુ. મમતા બેનર્જીના આદેશ પર ઓફિસ પરથી કેસરિયો રંગ અને કમળનું નિશાન હટાવવામાં આવ્યું.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની લડાઈ હજુ શાંત થવાનું નામ લેતી નથી. હવે બંને પક્ષો એકબીજાની પાર્ટીના કાર્યાલય પર કબજો મેળવવા માટે મારામારી કર્યા છે. ઉત્તર 24 પરગના જિલ્લામાં પોતે મમતા બેનર્જી ભાજપના કાર્યાલયનું તાળુ તોડવા માટે પહોંચ્યા હતા અને જાતે મમતા બેનર્જીએ અહીં ભાજપનો ભગવો રંગ અને કમળ હટાવ્યુ.
ત્યાર બાદમાં મમતા બેનર્જીએ પોતાની પાર્ટીનું નામ અને ચિહ્ન પેઈન્ટ કર્યું. આ તસવીર પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. ટીએમસીનો દાવો છે કે, આ કાર્યાલય ટીએમસનું હતુ અને ભાજપે તેના પર કબજો જમાવ્યો હતો.
મમતા બેનર્જી જ્યારે ઉત્તર 24 પરગાના જિલ્લામાં ધરણા પર બેસ્યા હતા ત્યારે ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને પોતાની સામે જ ભાજપના કાર્યાલયના તાળા તોડાવ્યા હતા.. બાદમાં ભાજપના ભગવા રંગ તથા કમળના નિશાનને હટાવ્યુ હતુ અને પોતાની પાર્ટીનું ચિહ્ન અને નામ લખ્યું હતું.