પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી શકે છે. પાર્ટીનાં બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, રાજ્યમાં હાલત કાબુમાં નથી ત્યારે એવામાં પાર્ટી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી શકે છે.
ન્યૂ દિલ્હીઃ બંગાળમાં હજુ પણ હિંસા શાંત થવાનું નામ લેતી નથી. ત્યારે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ ઉભી થઈ છે. બીજી તરફ, બંગાળમાં થઈ રહેલી હિંસાનાં પગલે અમિત શાહે આઈ.બી, રો, એન.એસ.એ. અજીત ડોભાલ, ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલયનાં અન્ય અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. જ્યારે બંગાળનાં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પણ આ મામલે દિલ્હી પહોંચ્યાં.
કેસરીનાથ પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યાં હતાં. ત્યારે કેસરીનાથ ત્રિપાઠીએ હિંસા મામલે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા મામલે મૌન સેવ્યું હતું. આ મામલે કેસરીનાથે કહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાતમાં આ મામલે ચર્ચા થઈ શકે છે. જો ચર્ચા થશે તો બંગાળની સ્થિતિ અંગે જાણ કરીશું. બસ આમ કહીને કેસરીનાથ ત્રિપાઠીએ વધુ વાત કરવાનું ટાળ્યું હતું.
West Bengal Governor Keshari Nath Tripathi: My visit to the Prime Minister and the Home Minister was a courtesy call. I just informed them of the general situation in the state. pic.twitter.com/UgH8crgelS
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી શકે છે. પાર્ટીનાં બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, રાજ્યમાં હાલત બેકાબુ થઇ ગયા છે જેથી એવામાં પાર્ટી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી શકે છે. જો કે, તેઓએ કહ્યું કે, બીજેપી વૈચારિક રીતે રાષ્ટ્રપતિ શાસન વિરૂદ્ધ છે પરંતુ મમતા રાજ્યને સંભાળવામાં સંપૂર્ણ રીતે નાકામ થઇ ગયેલ છે.
છેલ્લાં બે દિવસથી સતત બંગાળમાં બીજેપીનાં 3 કાર્યકર્તાઓની હત્યા બાદથી બંગાળમાં બબાલ શરૂ છે. આને લઇને બંગાળમાં બીજેપી આજે 'Black day' ઉજવી રહી છે. બશીરહાટમાં 12 કલાક બંધ આપવામાં આવેલ છે. બીજેપી કાર્યકર્તાઓએ કોલકાતામાં મમતા સરકારનું પુતળું ફુંકી બાળ્યું. હાવડામાં જ્યારે બીજેપી કાર્યકર્તા જય શ્રી રામનાં નારા લખી રહ્યાં હતાં ત્યારે પોલીસ સાથે તેમની ઝપાઝપી થઇ ગઇ. એવામાં વચ્ચે નોર્થ ચોવીસ પરગનામાં બીજેપી કાર્યકર્તાઓએ ટ્રેન રોકી દીધી.
બંગાળમાં હિંસાને લઇને રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી, પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ગવર્નર કેસરીનાથ ત્રિપાઠીએ કહ્યું કે, તેઓએ ગૃહમંત્રીને પશ્ચિમ બંગાળની હાલતને વિશે જાણકારી આપી.