દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણી ચરમસીમાએ છે. તો બીજી તરફ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર તેજ થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને મોદી સરકાર સામે સવાલો ઉભા કરી દીધા. જેને લઈને ભાજપ પણ એક્શન મોડમાં આવી ગઈ અને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે પણ UPAના સાશનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી પરંતુ સેનાના નામે ક્યારેય વાહવાહી લૂંટી ન હતી. પરંતુ મોદી સરકાર સેનાનો સત્તા માટે ઉપયોગ કરી રહી છે. રાહુલે એ પણ સવાલ ઉઠાવ્યા કે પ્રધાનમંત્રી સી પ્લેનની સવારી કરે છે પરંતુ રોજગારી નથી આપી રહ્યા. મોદી સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે અને ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. તો રાહુલ ગાંધીએ ખેડૂતો, રોજગારી અને રાફેલ જેવા મુદ્દાને લઈને ભાજપ હારતી હોવાનો પણ દાવો કર્યો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ કે કોંગ્રેસે સરવે કરાવ્યો છે જેમા મોદી સરકારની હાર સ્પષ્ટ છે. જોકે આ તરફ ભાજપે પ્રહાર કરીને કહ્યુ કે કોંગ્રેસે કોઈ સરવે નથી કરાવ્યો પરંતુ બે મોઢાની વાતો કરે છે...આખરે કોણ સાચું અને