તામિલનાડૂના AIADMK સરકારની રાજધાની ચેન્નાઇ અને મમલ્લાપુરમ (મહાબલીપુરમ)માં શાનદાર તૈયારીઓ જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતી શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક યોજાવા જઇ રહી છે. જો કે આ જગ્યાની પસંદગી ચીને કરી હતી, જેના પર ભારત સરકારે મહોર લગાવી હોવાનું સામે આવ્યું છે. મમલ્લાપુરમ સાથે ચીનનો ઐતિહાસિક સંબંધ તો છે જ પરંતુ પીએમ મોદી માટે આ રાજકીય રીતે પણ ઘણું મહત્વનું છે.
મમલ્લાપુરમમાં શિખર બેઠકને લઇને શાનદાર તૈયારી
ભાજપ માટે રાજકીય મહત્વનું છે મમલ્લાપુરમ
ભારતમાં ચીનના પૂર્વ રાજદૂતે નામ સૂચવ્યું હતું
ભારતમાં ચીનના પૂર્વ રાજદૂતે સૂચવ્યું હતું નામ
સૂત્રોને મળતી જાણકારી મુજબ બે મહિના જ્યારે પીએમ મોદી અને શી જિનપિંગ શિખર બેઠક માટે જગ્યા અંગે ચીનમાં ચર્ચા થઇ ત્યારે ભારતમાં ચીનના પૂર્વ રાજદૂત અને હાલના ઉપ વિદેશ મંત્રી લુ ઝાઓહુઇએ મમલ્લાપુરમની પસંદગી કરી હતી. ઉપ વિદેશ મંત્રી ચીનના વિદ્વાન શુ ફંચેંગના શિષ્ય રહ્યાં છે તેઓ મમલ્લાપુરમના ઐતિહાસિક મહત્વને જાણે છે. બીજી અનૌપચારિક શિખર બેઠકની જગ્યા પસંદ અંગે જણાવવામાં આવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તરત મંજૂરી આપી દીધી હતી.
18મી સદીમાં પલ્લવ રાજા અને ચીનના શાસક વચ્ચે થઇ હતી સુરક્ષા સમજૂતિ
ચેન્નાઇની નજીક દરિયાના તટ પર આવેલા ઐતિહાસિક નગર ચીનની સાથે ઘણો જૂનો સંબંધ છે. 18મી સદીમાં અહી તત્કાલિન પલ્લવ રાજા અને ચીન શાસક વચ્ચે સુરક્ષા સમજૂતી કરવામાં આવી હતી. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે મમલ્લાપુરમ રાજકીય રીતે ઘણુ મહત્વનું છે. જેનું મુખ્ય કારણ ભાજપની યોજના માટે આ ઘણું અગત્યનું છે.
'ગો બેક મોદી' નું 'વેલકમ મોદી'માં બદલાશે
તામિલનાડૂ ભાજપાન નેતાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના રાજ્ય સચિવે જણાવ્યું કે અત્યાર સુધી અહીં વિપક્ષનું 'ગો બેક મોદી' નું સૂત્ર ચાલતું હતું. પરંતુ હવે ડીએમકે અધ્યક્ષ એમ. કે. સ્ટાલિન સમિટ માટે મલ્લાપુરમની પસંદગી માટે મોદીજીને ધન્યવાદ કહી રહ્યાં છે. હવે આ નારો બદલાય ગયો અને તેઓ 'વેલકમ મોદી' કહી રહ્યાં છે. આ ગેમચેન્જર છે. આ અગાઉ જ્યારે પીએમ મોદી જ્યારે-જ્યારે તામિલનાડૂની મુલાકાતે પહોંચ્યાં છે ત્યારેત્યારે વિપક્ષ પાર્ટીઓ અને તેમાં પણ ખાસ કરીને DMK ટવિટર પર 'ગો બેક મોદી'ના હેશટેગને ટ્રેન્ડ કરતી હતી.
રાજકીય દ્રષ્ટિએ પીએમ મોદી માટે મહત્વનું છે મમલ્લાપુરમ
મમલ્લાપુરમના ચીનના સાથેના ઐતિહાસિક સંબંધની સામે તામિલનાડૂ ભાજપની પ્રાથમિકયાદીમાં સામેલ છે કારણ કે હાલની ચૂંટણીમાં દક્ષિણ રાજ્યમાં મોદી મેજીક જોવા મળ્યો નહોતો. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પી. મુરલીધર રાવના મુજબ સમિટ માટે તામિલનાડૂની પસંદગી ભાજપ માટે ઘણી મહત્વની સાબિત થશે. ભાજપ માટે દક્ષિણના લોકોની ધારણા છે કે તે એક હિન્દી પાર્ટી છે.