મહીસાગર જિલ્લામાં છ તાલુકાઓ આવેલા છે, ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય જંગ જામશે
મહીસાગર જિલ્લાની કેવી છે રાજકીય તાસિર?
મહીસાગરમાં કોના કોના વચ્ચે જામશે રાજકીય જંગ
મહીસાગરની તમામ બેઠકોનું સટીક વિશ્લેષણ
ગુજરાતના રાજકારણમાં અતિ મહત્વના જિલ્લા મહીસાગરના રાજકીય સમરાંગણમાં આ જિલ્લાની તાસીર કેવી છે તે જાણીશું. મહીસાગર જિલ્લા માં છ તાલુકાઓ આવેલા છે જેમાં બે બે તાલુકામાં મળી કુલ ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં એક લુણાવાડા બેઠક બીજી સંતરામપુર બેઠક અને ત્રીજી બાલાસિનોર બેઠક આમ કુલ ત્રણ બેઠકો આ જિલ્લામમાં આવેલી છે.
મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે જેમાં બાલાસિનોર બેઠક પર માનસિંહ ચૌહાણ V/S અજીતસિંહ ચૌહાણ V/S ઉદયસિંહ ચૌહાણ તો લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવક V/S ગુલાબસિંહ ચૌહાણ V/S નટવરસિંહ સોલંકી વચ્ચે જંગ જામશે. જ્યારે સંતરામપુર બેઠક પર કુબેર ડિંડોર V/S ગેંડાલ ડામોર V/S પર્વત વાગોડિયા વચ્ચે રાજકીય જંગ જામ્યો છે.