બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:13 PM, 29 May 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છ મહિનાની અંદર દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે. તેમણે કહ્યું કે બંગાળની મમતા બેનર્જી સરકાર રાજ્યની ડેમોગ્રાફીને બદલવામાં વ્યસ્ત છે. પીએમ મોદીએ કહ્યું, 'તમારો એક વોટ દેશની રાજનીતિની દિશા બદલી નાખશે. 4 જૂન પછી આગામી 6 મહિનામાં એક મોટો રાજકીય ભૂકંપ આવશે. વંશવાદી રાજનીતિના ભરોસે ચાલતા કેટલાય રાજકીય પક્ષો જાતે જ ખતમ થઈ જશે. તેમના પોતાના જ કાર્યકરો થાકી ગયા છે. તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની સ્થિતિ શું છે.' જો કે, તેઓએ એ ખુલીને નથી કહ્યું કે તેઓ ક્યા રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધિત કરતા આ વાત કહી. અહીં તેમણે ત્રણ બેઠકો પરથી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો. આ દરમિયાન ડાયમંડ હાર્બર, મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવારો પણ હાજર હતા. પીએમ મોદીએ કહ્યું કે મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, સંતો પર હુમલા થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓને પણ અટકાવવામાં આવી રહી છે. બંગાળમાં ઘૂસણખોરી ઝડપથી વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો ઇચ્છે છે કે ઘૂસણખોરો બંગાળમાં આવીને સ્થાયી થાય.
কলকাতায় উৎসাহ উদ্দীপনা অকল্পনীয়।
— Narendra Modi (@narendramodi) May 28, 2024
কলকাতার আবেগ অতুলনীয়।
এবং, কলকাতা এবং পশ্চিমবঙ্গ জুড়ে @BJP4Bengal- এর প্রতি সমর্থনের জোয়ার অভূতপূর্ব।
আজকের রোড শো-তে সমর্থন ও উষ্ণ সাহচর্যের জন্য কলকাতার অসাধারণ জনতার সামনে আমি মাথা নত করি। এখানে রইল কয়েকটি ঝলক। pic.twitter.com/w0KwHTyuHl
ADVERTISEMENT
તેમણે કહ્યું, 'ઘૂસણખોરો બંગાળના યુવાનોના હાથમાંથી તકો છીનવી રહ્યા છે. તેઓ તમારી જમીન અને મિલકતો પર કબજો જમાવી રહ્યા છે. સમગ્ર દેશમાં આને લઈને ચિંતાનો છે. સરહદી વિસ્તારોની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. આખરે ટીએમસી કેમ CAA નો વિરોધ કરે છે અને જૂઠ ફેલાવવામાં આવે છે?'
જણાવી દઈએ કે પીએમ મોદી છેલ્લા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે. આ અંતર્ગત 1 જૂને બંગાળની 9 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. આ બેઠકોમાં કોલકાતા, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે બંગાળમાં 18 સીટો જીતી હતી. આ તેના માટે એક મોટો આંકડો હતો. આવી સ્થિતિમાં ભાજપ આ વખતે તેનાથી પણ આગળ જવા માંગે છે.
વધુ વાંચો: નવીન પટનાયકની એકાએક તબિયત બગડતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું 'કોઇ ષડયંત્ર છે કે શું?'
પીએમ મોદીએ પ્રચાર દરમિયાન કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બંગાળમાં આ મારી છેલ્લી રેલી છે. આ પછી હું ઓડિશા જઈ રહ્યો છું. આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ છે. જણાવી દઈએ કે પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી પંજાબમાં હશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને મંગળવારે કોલકાતામાં રોડ શો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.