પાકિસ્તાન સંસદમા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ ઈમરાન સરકાર પર એક મોટું સંકટ આવ્યું છે.
ઈમરાનખાનની ખુરશી ખતરામાં
અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા 24 સાંસદોએ છોડ્યો સાથ
ઈમરાન સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થવાનું છે
પાકિસ્તાની પીએમ ઈમરાનખાન માટે તો પોતાના જ દુશ્મન થયા છે. ઈમરાન સરકારની સામે આવનારી અવિશ્વાસની દરખાસ્ત પહેલા
અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ પાકિસ્તાનની ઈમરાનખાન સરકાર બરાબરની મુશ્કેલીમાં ફસાઈ છે. ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાની તહરીક એ ઈંસાફના 24 સાંસદોએ વિપક્ષની સાથે જવાનો સંકેત આપ્યો છે આમાંના ઘણા સાંસદો વોટિંગ પહેલા ઈસ્લામાબાદના સિઁધ હાઉસમાં છુપાઈ બેઠા છે. બળવાખોર સાંસદોને ડર ચે કે વિપક્ષની સાથે જવાને કારણે સરકારી તંત્ર તેમને નિશાન બનાવી શકે છે.
ઈમરાન સરકારની સામે મતદાન કરશે અસંતુષ્ટ સાંસદ
ઈમરાનની પાર્ટીના 24 સાંસદો સરકારની વિરૃદ્ધ મતદાન કરવાના છે.આમાંના એક સાંસદ રિયાઝે કહ્યું કે અસંતુષ્ટ સભ્યો પોતાની મરજી પ્રમાણે અવિશ્વાસ પ્રસ્તાવની સામે મતદાન કરશે. તેમણે કહ્યું કે તેઓ હવે પછીની ચૂંટણી પીટીઆઈની ટિકિટ પરથી લડવાના નથી. તેમનો દાવો છે કે સિંધ હાઉસમાં 24 સભ્યો છે.
અસંષ્ટ સાંસદોને કાર્યવાહીનો ડર
હામીદ મીરે કહ્યું કે ઘણા નેતાઓ જાહેરમાં આવતા ડરી રહ્યાં છે. તમામ અસંતુષ્ટ સાંસદોએ કહ્યું કે તેમને સરકારની કાર્યવાહીની બીક લાગે છે.
વિપક્ષનું સિંધ હાઉસ બળવાખોર સાંસદોથી ભરેલું છે
પીટીઆઈના બળવાખોર સાંસદ રાજા રિયાઝે બુધવારે દાવો કર્યો હતો કે જો વડા પ્રધાન ઈમરાન ખાન તમામ સાંસદોને ખાતરી આપે છે કે અવિશ્વાસ પ્રસ્તાવના દિવસે તેમની વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તો તેઓ પીછેહઠ કરવા તૈયાર છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતા પીટીઆઈના એમએનએ મલિક નવાબ શેર વસીર અને રિયાઝે કહ્યું કે પીટીઆઈના લગભગ 24 સભ્યો હાલમાં સિંધ હાઉસમાં રહે છે. તેમનો દાવો છે કે આગામી દિવસોમાં ઈમરાન ખાનની કેબિનેટના ઘણા મંત્રીઓ અને સાંસદો પણ સિંધ હાઉસમાં આવી શકે છે, જોકે અહીં રહેવાની સગવડ પહેલાથી જ ભરી દેવામાં આવી છે.