સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે,'મને નથી લાગતું કે ગાંધીં રાષ્ટ્રપિતા છે'. ભારત જેવા દેશમાં કોઈ એક રાષ્ટ્રપિતા ના હોય શકે.અહીં હજારો એવા છે જેઓને ભૂલાવી દેવામાં આવ્યા .
વીર સાવરકર મુદ્દે તનાતની
રાજનાથના નિવેદન મુદ્દે આમને-સામને
સાવરકરના પૌત્રએ કહ્યું,'ગાંધી રાષ્ટ્રપિતા નહિ'
રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વરા સાવરકર પર અપાયેલા નિવેદનનો વિવાદ અટકવાનું નામ નથી લેતો.એક તરફ જ્યાં વિપક્ષના નેતાઓએ કેન્દ્રિય મંત્રી પર ઇતિહાસને બીજીવાર લખવાનો આરોપ લગાવ્યો હતો ,તો બીજી તરફ ભાજપા અને શિવસેના જેવા દળોએ રાજનાથના નિવેદનને ઉચિત ગણાવ્યું.સાવરકરના પૌત્રએ આ વિવાદમાં ત્યાં સુધી કહી દીધું કે, મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રપિતા નહોતા.રાજનાથ સિંહે મંગળવારે સાવરકર પર લખાયેલા પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના કહેવા પર જ વીર સાવરકરે અંગેજ શાસનને દયા અરજી આપી હતી.
શું કહ્યું સાવરકરના પૌત્રએ ?
સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે આ સમગ્ર વિવાદમાં ઝુકાવતા કહ્યું કે,'મને નથી લાગતું કે ગાંધીં રાષ્ટ્રપિતા છે'. ભારત જેવા દેશમાં કોઈ એક રાષ્ટ્રપિતા નાં હોય શકે.અહીં હજારો એવા છે જેઓને ભૂલાવી દેવામાં આવ્યા છે.
ભાજપ-શિવસેનાએ કર્યો રાજનાથનો બચાવ
વિપક્ષના આરોપો પર ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ રાજનાથના નિવેદનનો બચાવ કર્યો.તેઓએ પોતાના ટ્વેટ માં કહ્યું 'કોંગ્રેસ સાવરકરજી નો વિરોધ કરે છે,જેઓ બ્રિટીશ શાસન સાથે ક્યારેય ના જોડાયા અને માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાનનું ઉદાહરણ આપ્યું. દુખની વાત એ છે કે, કેટલાક લોકો માઉન્ટબેટનનાં ગેર નિયમિત રાત્રી ભોજન કરતા હતા.
શિવસેનાનુ નિવેદન
આ જ મુદ્દે શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકરે ક્યારેય અંગેજો સામે માફી નહોતી માંગી. તેમણે કહ્યું કે,એક એવો સ્વતંત્ર સેનાની જે એક દશકાથી વધુ જેલમાં રહ્યા હોય,તે પોતાનો જેલની બહાર આવવાનો ધ્યેય સિદ્ધ કરવા માટે કોઈ પણ રણનીતિ અપનાવી શકે. રાઉતે કહ્યું કે, રાજનીતિ અને જેલ વાસ દરમિયાન જુદી જ રણનીતિ અપનાવાય છે. સાવરકરે આવી જ કોઈ રણનીતિ અપનાવી હોય તો પછી તેમને માફી માગી તેવું ના કહી શકાય.
ભાજપના આઈ.ટી સેલના પ્રમુખ અમિત માલવિયએ સાવરકર માટે ગાંધીની એક ટીપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું,'તેઓ બહુ જ સમજદાર છે.તેઓ બહાદૂર છે.તેઓ દેશભક્ત છે.વર્તમાન સરકારમાં રહેલી આંતરિક દુષ્ટતાને તેઓએ મારા પહેલા જ જોઈ લીધી છે.તેઓ ભારતને ભુબ પ્રેમ કરતા હોવાના કારણે આંદામાનમાં છે.તેઓ સરકારમાં કોઈ મોટા હોદ્દા પર રહ્યા હોત.
શું હતું રાજનાથનું નિવેદન
રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું કે, રાષ્ટ્ર નાયકોના વ્યક્તિત્વ અને કાર્યશૈલી બાબતે વાદ-વિવાદ હોય શકે છે,પરંતુ વિચારધારાના ચશ્માથી જોઇને વીર સાવરકરના યોગદાનની ઉપેક્ષા કરવી અને તેમને અપમાનિત કરવા એ બાબત માફી લાયક અને ન્યાય સંગત નથી. રાજ્નાથસિંહે ઉદય માહૂરકર અને ચિરાયું પંડિત ના પુસ્તક 'વીર સાવરકર હુ ફૂડ પ્રીવેનટેડ પાર્ટીશન' નાં વિમોચન કાર્યક્રમ માં આ વાત કહી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે અંગેજો સામે દયા માફી અરજી આપી હતી