ચૂંટણી આવતા જ દરેક રાજકીય પાર્ટીઓ વિવિધ રાજ્યોમાં જઇને પ્રચાર કરે છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં આવેલું આ એક ગામ એવું છે. જ્યાં રાજકીય પાર્ટીઓને ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ગુજરાતના રાજકોટ જિલ્લાનું ગામ રામસમઢિયાલમાં રાજકીય પાર્ટીઓને પ્રચાર કરવાની મનાઇ છે. તમે વિચારી રહ્યા હશો કે કદાચ આ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરે છે એટલા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો તમે ખોટું વિચારી રહ્યા છો કારણ કે એવું કંઇ નથી. વાસ્તવમાં આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કારણ કે ગામનો માહોલ ખરાબ થાય નહીં.
પ્રચારથી થઇ શકે છે માહોલ ખરાબ
રાજસમઢિયાલ ગામમાં રહેનાર લોકો પોતાના મતાધિકારીને લઇને ખૂબ જ જાગરૂક છે. ગામના સરપંચ અશોક ભાઇ વાઘેરાએ કહ્યું, 'જ્યારે હરદેવ સિંહ જાડેજા સરપંચ બન્યા હતા. એ સમયથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. સ્થાનિક લોકોનું પણ માનવું છે કે એનાથી વાતાવરણ ખરાબ થશે. અડધા લોકો આ તરફ તો અડધા લોકો બીજી તરફ જશે.'
Ashok Bhai Vaghera: There is a fine of Rs 51 on those who don't vote. Every time our efforts are to ensure 100% voting. But voter list also contains names of those who have died. Girls often leave after marriage but their names remain in voter's list. But we reach around 95-96% pic.twitter.com/tPJN4OiSdO
અશોક ભાઇએ આગળ કહ્યું, 'જો લોકો મતદાન કરતા નથી એમને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. દરેક લખતે એવો પ્રયત્ન રહે છે કે 100 ટકા મતદાન થાય. પરંતુ મતદાતા યાદીમાં એવા લોકોનું પણ નામ છે જે મરી ચુક્યા છે અને એ છોકરીઓનું પણ નામ છે જેમના લગ્ન થઇ ગયા છે. અહીંયા 95-96 ટકા મતદાન થાય છે. '
આ ગામ માત્ર મતદાનના કારણે ચર્ચામાં નથી. પરંતુ આ ગુજરાતનું એક આદર્શ ગામ છે. જેના માટે કહેવામાં આવે છે કે અહીંયા કોઇ પણ પોતાના ઘર અથવા દુકાનમાં તાળું લગાવતા નથી.