ગાંધીનગર: 2019ની લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાનું જૂથ ફરી સક્રિય થયું છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મહેન્દ્રસિંહ વાઘેલા રામસિંહ પરમાર માનસિંહ પરમાર સી.કે.રાઉલજી અને રાઘવજી પટેલ હાજર રહ્યા. આ બેઠકમાં અમિત ચૌધરી માનસિંહ ચૌહાણ અને રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં બંધ બારણે મળેલી આ બેઠકમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થઈ હોવાની પણ માહિતી મળી રહી છે. આ સાથે Vtv પાસે રાજ્યના ટોચના દિગ્ગજ નેતાઓની બેઠકના મહત્વપૂર્ણ દ્રશ્યો પણ છે.જે નીચે આપવામાં આવેલ VIDEOમાં જોઇ શકાય છે.જેમાં સર્કિટ હાઉસમાંથી બેઠક પૂર્ણ કરી બહાર આવતા નેતાઓ જોવા મળી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના પૂર્વ પીઢ નેતા છે અને 2014માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો જો કે ભાજપે કોંગ્રેસને ફરીવાર માત આપીને પાતળી સરસાઇથી જીત મેળવી હતી.ત્યારે આજે અચાનક શંકરસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મળતા અને તર્કવિતર્ક શરૂ થયા હતા.
કોણ-કોણ બેઠકમાં રહ્યું હાજર ?
સી.કે.રાઉલજી હાલ ગોધરાથી ભાજપના ધારાસભ્ય
સી.કે.રાઉલજી પહેલા કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા
મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા બાયડથી કોંગ્રેસના ધારાસભ્ય હતા
મહેન્દ્રસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર
રામસિંહ પરમાર કોંગ્રસમાંથી ભાજપમાં આવ્યા હતા
રામસિંહ 2017ની ચૂંટણી ઠાસરા બેઠક પરથી હાર્યા હતા
ભાજપની ટિકિટ પર ઠાસરાથી હાર્યા હતા રામસિંહ પરમાર
રામસિંહ પરમાર હાલ GCMMFના ચેરમેન
અમિત ચૌધરી પણ 2017 પહેલા માણસાથી ધારાસભ્ય હતા
ભાજપમાં આવ્યા બાદ માણસાથી ભાજપની ટિકિટ પર લડયા
2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સુરેશ પટેલ સામે હાર્યા
માનસિંહ ચૌહાણ પહેલા બાલાસિનોરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા
માનસિંહ ચૌહાણ 2017માં ભાજપની ટિકિટ પર ચૂંટણી હાર્યા
શંકરસિંહ જૂથના રાઘવજી પટેલ પણ ભાજપમાં સામેલ થયા હતા