મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોરશોરથી ચાલી રહી છે. સવાર સુધીમાં, એકલા દેખાતા અને છેતરપિંડીનો ભોગ બનેલ એનસીપીના સુપ્રીમો શરદ પવારે સાંજ સુધીમાં ફરી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. શિવસેના સાથે સરકાર બનાવવા માટે લાગેલા એનસીપી અને કોંગ્રેસને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પવારના ભત્રીજા અજિત પવારે રાતોરાત પાસા પલટાવ્યા અને શનિવારે સવારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મહારાષ્ટ્રનો મુદ્દો
NCP ની બેઠકમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો રહ્યા હાજર
મહારાષ્ટ્રમાં ફરી પલટાશે ગેમ ?
પવાર અજિત પવારના નિર્ણયથી આશ્ચર્યચકિત થયા કારણ કે તેમણે પોતે જ કહ્યું હતું કે તેમને આ નિર્ણય વિશે કોઈ જાણકારી નથી. સવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે તેમની સાથી શિવસેનાને કહ્યું કે એનસીપી હજી પણ ઉદ્ધવ ઠાકરેની સાથે છે અને ભાજપની આગેવાનીવાળી સરકાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી શકશે નહીં. શરદ પવારે પણ અજિત પર પાર્ટીની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
અજીત પવાર ઘરે જ રહ્યા
ત્યારબાદ સાંજે ઘટનાક્રમ બદલાતો રહ્યો. શરદ પવાર એનસીપીના ધારાસભ્યોની બેઠકમાં ઉત્સાહિત દેખાયા હતા કારણ કે તેમની સાથે 40 થી વધુ ધારાસભ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ, બેઠક ચાલી રહી હતી ત્યારે અજિત પવાર પોતાના ઘરે ફોન પર વ્યસ્ત દેખાયા.
સાંજે NCP ના ધારાસભ્યોની યોજાઈ બેઠક
એનસીપીએ દાવો કર્યો છે કે તેને 49 ધારાસભ્યોનો ટેકો છે અને તેમાં કેટલાક ધારાસભ્યોનો સમાવેશ છે જેઓ અજિત પવારની સાથે ગયા હતા. આ બેઠક દરમિયાન શરદ પવારે પોતાના સાથી પક્ષના નેતાઓને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે દરેક બાબત નિયંત્રણમાં હોવાની વાત કરી હતી.
અજીત પવારના વિશ્વાસુ પણ શરદ પવારની બેઠકમાં રહ્યા હાજર
ભાજપ અને અજિત પવારે રાતોરાત ગણિત લગાવીને સરકારની રચના કરી હશે, પરંતુ ફરી એક વાર બાજી શરદ પવારના હાથમાં જતા જોવા મળે છે. શરદ પવારને હાલમાં પાર્ટીના 49 ધારાસભ્યોનો ટેકો છે. તે જ સમયે, અજિતના વિશ્વાસપાત્ર હોવાનું કહેવાતા ધનંજય મુંડે પણ સવારે અજિત પવાર સાથે જોવા મળેલા શરદ પવાર સાથેની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. દરમિયાન, અજિત પવાર ઘરે જ રહ્યા હતા અને તેમના ચહેરા પર ચિંતાના વાદળો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.