મુંબઈમાં નાગપુર સ્થિત કંપની રૂખસાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડને મહાજેનેકોને મળેલા કોલસાના પુરવઠા અને વોશિંગ કરારથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોલસાના કરારથી ગઠબંધન તૂટવાના આરે
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર
કોલસાના કરાર તોડવાની અને તપાસ કરવાની કરી માંગ
કોલસા મુદ્દે ભાજપ થઈ આક્રમક
મુંબઈમાં નાગપુર સ્થિત કંપની રૂખસાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડને મહાજેનેકોને મળેલા કોલસાના પુરવઠા અને વોશિંગ કરારથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે આ કરારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈને પત્ર લખી કરાર તોડવાની અને તપાસ કરવાની માંગ કરી છે. જ્યારે આ મામલે ભાજપ આક્રમક થઈ છે.
કોંગ્રેસની સાથે ગઠબંધન તૂટવાના આરે
કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વિટ કરી લખ્યું કે કોલસામાં કોઈ પોતાના હાથ ખરાબ કરી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીની સાથે ગઠબંધન તૂટવાના આરે આવી ગયુ છે. જ્યારે કેન્દ્રમાં કોલસા પ્રધાન પહ્લાદ જોશીએ ટ્વિટ કરી કટાક્ષમાં કહ્યું કે, કોંગ્રેસને ફક્ત ભ્રષ્ટાચાર કરતા આવડે છે. કોંગ્રેસે પોતાની તમામ હદો પાર કરીને મહારાષ્ટ્રમાં બ્લેક લિસ્ટે કંપનીને ટેન્ડર આપ્યાં છે. આવો દાવો કોંગ્રેસના પોતાના નેતાએ જ કર્યો છે.
In #Maharashtra, someone is getting their hands dirty in coal washeries…
& cracks are beginning to open up within the Congress Party as well as the grand alliance
A not so curious case of furthering vested interests by individuals from the same clan…https://t.co/Xzwpfw6ZwA
કોંગ્રેસે કોલસાના મામલાને કર્યો ઉજાગર
ઉલ્લેખનીય છે કે, કોલસાનો આ મામલો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ઉજાગર કર્યો છે. તેમણે કહ્યું કે, જે કંપની પાસે સિક્યોરિટી ક્લીયરન્સ અને કોલસાના પુરવઠા માટેનો અનુભવ જ નથી. જે કંપનીનું કોઈ પણ પ્રકારનું કુલ મુલ્ય અને ટર્નઓવર જ નથી તેની સાથે કેવીરીતે કરાર કરી દેવામાં આવ્યો?