લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મળ્યા બાદ નરેન્દ્ર મોદી પર પ્રજાની આશા અપેક્ષાઓનો બોજો વધી ગયો છે. આ દ્રષ્ટિથી નરેન્દ્ર મોદી પોતાના કેબિનેટના મંત્રીઓને કોઇ ઢીલ આપવા માંગતા નથી. એવું કહેવાય છે કે મંત્રીઓને PM મોદીએ ફોન કરીને સ્પષ્ટ સૂચના આપી છે.
લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મળ્યા બાદ નરેન્દ્ર મોદી પર પ્રજાની આશા અપેક્ષાઓનો બોજો વધી ગયો છે. પીએમએ મંત્રીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, તેઓ સ્વાગતથી દૂર રહી પોતાના મંત્રાલયના સંબંધિત કામમાં લાગી જાય. પહેલાં દિવસની બેઠકમાં જ પ્રધાનમંત્રીએ તમામ મંત્રીઓને તાકીદ કરી દીધી હતી કે, એક મિનિટ પણ ગુમાવ્યા વગર પોતાના સંબંધિત મંત્રાલયોના કામમાં લાગી જાય.
તેમને દિલ્હીના મંત્રીઓને દિલ્હીની બહાર મુસાફરી નહીં કરવાનું કહી દીધું છે. આ દરમ્યાન કેટલાંક મંત્રી જીત બાદ પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાત કરવા જતા રહ્યા હતા. પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તેમને ફોન ગયો અને તેમને તાબડતોડ દિલ્હી પાછા ફરવું પડ્યું.
જો કે પીએમ મોદીએ પોતાના દરેક મંત્રીની સાથે એક-એક કરીને બેઠક કરવાની હતી. આથી તમામને દિલ્હીમાં રહેવા માટે કહ્યું હતું. પીએમએ તમામ મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક કરી અને તેમને મંત્રાલયો સંબંધિત ઉદ્દેશ્યનું વિસ્તારથી સમજાવ્યું હતું. લોકસભા ચૂંટણી જીત્યા બાદ એનડીએની બેઠકમાં જ પીએમ મોદીએ સ્પષ્ટતા કરી દીધી હતી કે, સરકારમાં મંત્રીઓની જવાબદારી સેવાની છે. તે દ્રષ્ટિથી દરેકને પોતાનું યોગદાન આપવું પડશે.
નરેન્દ્ર મોદીએ પોતાના તમામ મંત્રીઓ અને તેમના સંબંધિત મંત્રાલયોને પાંચ વર્ષનો ટાર્ગેટ આપી દીધો છે. તેના પ્રથમ તબક્કામાં તમામ મંત્રીઓને પોતાના 100 દિવસનું અંદર પર્ફોમન્સ આપવું પડશે.