બરવાળા-ધંધુકા કેમિકલકાંડમાં SITનું ગઠન કરાયા બાદ આવતીકાલે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.
કેમિકલકાંડ મામલે પોલીસ આવતીકાલે ચાર્જશીટ રજૂ કરશે
કેમિકલકાંડમાં 42 લોકોના થયા હતા મૃત્યુ
SITની ટીમે બોટાદ અને અમદાવાદમાં કરી હતી તપાસ
બરવાળા-ધંધુકા કેમિકલકાંડને લઈને 42 લોકોના મોત થયા હતા અને 97 જેટલા વ્યક્તિઑને અસર પહોંચી હતી. આ ઘટનાને લઈને રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો જે મામલે સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓની SITની ટીમે બોટાદ અને અમદાવાદમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાકેમિકલકાંડ મામલે પોલીસ આવતીકાલે ચાર્જશીટ રજૂ કરશે.
કેમિકલકાંડને લઇ કરવામાં આવ્યું હતું SITનું ગઠન
બરવાળા-ધંધુકા કેમિકલકાંડની તપાસ વિવિધ એજન્સીઓ કરી રહી છે. આ સાથે ગુજરાત સરકારે કેમિકલકાંડની તપાસ માટે એસઆઇટીની પણ રચના કરી હતી. SIT માં સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઑનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અધિકારીઑ તપાસમાં જોતરાયા હતા. આ તપાસના ભાગ રૂપે આઇપીએસ સુભાષ ત્રિવેદી સહીતની ટીમે કંપનીના ગોડાઉન, ધંઘુકા, રાણપુર અને બરવાળાની મુલાકાત લીધી હતી. જેમાં લઠ્ઠાંકાડમાં ભોગ બનેલા લોકોની મુલાકાત લઇ આ પ્રકરણની અન્ય બાબતો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. SIT દ્વારા સ્થાનિક વિસ્તાર અને બુટલેગરોના અડ્ડાથી માંડીને તમામ બાબતો અંગે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી.
ગૃહવિભાગમાં રિપોર્ટ બાદ કાર્યવાહી આગળ વધશે
એટલું જ નહિ જે સ્થળે દારૂ વેંચાયો હતો અને કેમીકલ ઉમેરીને તૈયાર કરાયો હતો. તે સ્થળોની પણ SITની ટીમ દ્વારા મુલાકાત લીધી હતી. આ ઉપરાંત એમોસ કંપનીના કેમીકલના ગોડાઉન પર પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં ઊંડી તપાસ કરવામાં આવ્યા બાદ હવે પોલીસ આવતીકાલે ચાર્જશીટ રજૂ કરશે. ગૃહવિભાગમાં રિપોર્ટ સોંપાયા બાદ આ અંગેની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.