સ્વીટ પટેલના કેસમાં હવે પીઆઈ દેસાઈનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. જે ટેસ્ટ કર્યા બાદ આ કેસમાં મોટા વળાંક આવી શકે છે.
પીઆઈ દેસાઈનો પોલીગ્રાફ ટેસ્ટ થશે
ટેસ્ટમાં મગજ પર થતી અસર નોંધવામાં આવશે
અગાઉ પીઆઈ દેસાઈનો SSઅ ટેસ્ટ થયો હતો
વડોદરામાં SOGના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના કેસમાં દિવસેને દિવસે નવા વળાંકો આવતા જાય છે. આ કેસમાં પહેલાથી PI અજય દેસાઈ પર શંકાની સોય છે. આ મામલે પીઆઈ અજય દેસાઈનો SSD ટેસ્ટ કરવામાં આવ્યો અને હવે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે.
પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે
પોલીગ્રાફ ટેસ્ટમાં PI અજય દેસાઈને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. પ્રશ્નોતરી દરમિયાન જવાબ આપતી સમયે તેમના મગજ પર થતી અસર નોંધવામાં આવશે. સાથેજ ટેસ્ટ રિપોર્ટના આધારે સમગ્ર મામલે તેમનો કેવો રોલ હતો તે નક્કી કરવામાં આવશે. જોકે અગાઉ PI અજય દેસાઇનો FSL ખાતે SSD ટેસ્ટ થઈ ચુક્યો છે.
પોલીસને પહેલાથી પીઆઈ દેસાઈ પર શંકા
ઈઝરાયેલની સસ્પેક્ટેડ ડિટેક્શન સિસ્ટમ FSL દ્વારા કરાવામાં આવી હતી. સ્વીટી પટેલના ગુમ થવામાં પતિ અજય દેસાઈની ભૂમિકાની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. કારણકે પહેલાથી તેમના પર પોલીસને શંકા છે. કે સ્વીટી પટેલના ગુમ થવા પાછળ તેમનોજ હાથ છે.
DNA રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે
દહેજ પાસે અટાલી ગામના અવવારુ મકાનની પાછળના ભગે પોલીસને સળગેલી હાલતમાં હાડકાઓ મળી આવ્યા હતા. જેમાં સ્વીટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઈને તે સળગેલા હાડકાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આગામી ચારથી પાંચ દિવસમાં તેનો ડીએનએ ટેસ્ટ પણ આવી જશે પછી આ કેસમાં મોટો વળાંક આવી શકે છે.
જતા રહેવાની અને મરી જવાની વાતો
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસે ગાયબ સ્વીટીના મોબાઈલમાંથી અમુક વિગતો મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. જેમા સ્વીટી પટેલ પીઆઈને જતા રહેવાની તેમજ મરી જવાની વાતો કરતા હતા. જેથી આ મામલે પણ પોલીસ તપાસ આરંભી છે.
સ્વીટી પટેલ કેસમાં આવી શકે છે મોટો વળાંક