ઉત્તર પ્રદેશના કેટલાય ધાર્મિક સ્થળ પર લાઉડસ્પિકર કાં તો ઉતારી દેવામાં આવ્યા છે અથવા તો તેનો અવાજ ધીમો કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી મુખ્યમંત્રી યોગીના નિર્દેશ બાદ થઈ છે
યુપીમાં યોગી સરકારના આદેશની અસર વર્તાઈ
યુપીમાંથી હટવા લાગ્યા લાઉડસ્પિકર
125થી વધારે ધાર્મિક સ્થળે કાર્યવાહી કરી
ઉત્તર પ્રદેશના કેટલાય ધાર્મિક સ્થળ પર લાઉડસ્પિકર કાં તો ઉતારી દેવામાં આવ્યા છે અથવા તો તેનો અવાજ ધીમો કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી મુખ્યમંત્રી યોગીના નિર્દેશ બાદ થઈ છે. તેમણે કહ્યું હતું કે, ધાર્મિક સ્થળ પર સામાન્ય માપદંડ અનુસાર જ લાઉડસ્પિકર વાગશે અને તેમનો અવાજ ફક્ત ધાર્મિક પરિસરની અંદર સુધી સીમિત રહેશે. આ તમામના વતી સરકારે ઉંચા અવાજે લાઉડસ્પિકર વગાડનારાનો રિપોર્ટ પણ માગ્યો છે.
125 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પિકર હટાવ્યા
ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં યુપીમાં 125 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પિકર હટાવી દેવામાં આવ્યા છે. તો વળી 17 હજાર ધાર્મિક સ્થળ પર સ્પીકરનો અવાજ ઓછો કરી દેવામાં આવ્યો છે. આ ઉપારંત શાસને ઉંચા અવાજમાં લાઉડસ્પિકર વગાડનારા પાસેથી રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ 30 એપ્રિલ સુધીમાં આપવાનો રહેશે.
ધર્મગુરૂઓ સાથે વાત કરી
ADG લો એન્ડ ઓર્ડરે જણાવ્યા અનુસાર અલવિદાની નમાજ અને તે પહેલા અન્ય ધર્મોના પણ તહેવાર થયા હતા. તેમાં લાઉડસ્પિકરનો અવાજ ઓછો કરવા માટે લગભગ 37,344 ધર્મગુરૂઓ સાથે વાત કરવામાં આવી હતી.
લાઉડસ્પિકરનો રિપોર્ટ 30 એપ્રિલ સુધી આપવાનો રહેશે
ધાર્મિક સ્થળ પર લાગેલા લાઉડસ્પિકર હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે. યુપીના ACS અવનીશ અવસ્થીએ તમામ જિલ્લા પ્રભારીઓ પાસેથી ધાર્મિક સ્થળ પર લાગેલા ગેરકાયદેસર લાઉડસ્પિકર હટાવા સંબંધિત રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ 30 એપ્રિલ સુધીમાં આપવાનો રહેશે. નિર્ધારિત સમયમાં રિપોર્ટ નહીં આપનારા પર કાર્યવાહી થશે.