કોરોના વાયરસનાં ખતરાને જોતા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકો ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત રહે છતાં ઘણા એવા લોકો પણ છે રીતસર લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે અને ઘરની બહાર નીકળી પડે છે. એવામાં આ લોકો પર કાર્યવાહી કરવામાં પોલીસ પણ પાછળ નથી.
દેશમાં ઘણા લોકો જુદા જુદા કારણો બતાવી ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે કર્ણાટકનાં બેલગામમાં આવા લોકો પર પોલીસ કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉનની ઐસીતૈસી કરીને અમુક લોકો મસ્જિદમાં નમાજ પઢવા પહોંચી ગયા. સ્થાનિય પોલીસે આ લોકો પર કાર્યવાહી શરુ કરી. પોલીસે આ બધા લોકોને ડંડાવાળી કરીને ફટકાર્યા. નોંધનીય છે કે લોકડાઉનમાં દેશનાં બધા જ ધાર્મિક સ્થાનોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસથી બચવા માટે સામાજિક અંતર રાખવું અત્યંત જરૂરી છે. એકબીજાનાં સંપર્કમાં આવવાથી અને ભીડ એકઠી કરવાથી કોરોના વાયરસનો ખતરો વધી શકે છે. એવામાં આદેશોનું પાલન નહીં કરતા લોકોને સજા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Jammu & Kashmir: Ranbir Singh Pura police is putting stamps reading 'corona lockdown violator' on the hands of people in the city who are violating the #CoronavirusLockdown. Shabir Khan, SDPO, RS Pura says, "We are using a permanent ink that takes around 15 days to erase". pic.twitter.com/rZDviUrL8e
ગુજરાત પોલીસ પણ લોકડાઉનનું પાલન કરાવવા માટે કાયદો વ્યવસ્થાનું પાલન થાય તે રીતે રોડ પર અવરજવર કરી રહેલા લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પણ લોકડાઉનનું ભંગ કરી રહેલા લોકોનાં હાથ પર સ્ટેમ્પ મારવાની શરુઆત કરી છે.