અમદાવાદમાં રથયાત્રા અગાઉ જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું, 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને તમામ તૈયારીઓ ચકાસી હતી
રથયાત્રાના રૂટ પર રિહર્સલ
પો.કમિશનરની આગેવાનીમાં ચકાસણી
સુરક્ષા બંદોબસ્તની ચકાસણી કરાઈ
144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને તમામ તૈયારીઓ ચકાસી હતી. કોરોનાકાળમાં ભક્તો ન આવે અને શાંતિ પૂર્ણ રીતે રથયાત્રા સંપૂર્ણ થાય તેને લઈને પોલીસ તૈયારી કરી છે. પોલીસના ગ્રાન્ડ રિહર્સલ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં થયું હતું.
રથયાત્રાના રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરાઈ હતી. રથયાત્રાના રૂટ પર રિહર્સલને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો .ઉલ્લેખનીય છે કે,ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રૂટ પર RAFએ પેટ્રોલિંગ કર્યું. રૂટ પેટ્રોલિંગમાં 15થી વધારે ટુકડીઓ જોડાઇ હતા. રથયાત્રામાં 42 IG અને DCP કક્ષાના અધિકારીઓ , 74 એસીપી અને 230 પોલીસ ઇન્સ્પેકટર્સ , 607 પીએસઆઈ , 34 SRP કંપની , 9 CRPF કંપની , ચેતક કમાન્ડો સહિત 13 BDDS ટીમ આ રુટ પર તૈનાત કરાયા છે. આ રુટ પર આવતા 11 પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સર્વેલન્સ કરાશે.
અમદાવાદમાં યોજાનારી રથયાત્રાની અસર ટ્રાન્સપોર્ટેશન પર જોવા મળશે
શહેરમાં AMTS અને BRTSના રૂટ કરવામાં આવ્યા ડાયવર્ટ
રથયાત્રા કફર્યૂની અસર AMTSના કુલ 105 રૂટ પર જોવા મળશે
46 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા, 57 રૂટ ટૂંકાવવામાં આવ્યા
ઝુંડાલથી નારોલ સર્કલ રૂટની BRTS બસ રહેશે બંધ
નરોડાથી ઇસ્કોન રૂટની BRTS બસ રહેશે બંધ
RTO સર્કયુલર રૂટ પણ રહેશે બંધ
BRTSના અન્ય 3 રૂટને આંશિક અસર થશે
અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ
રથયાત્રાના દિવસે ટ્રાફિક મુદ્દે જાહેરનામું જાહેર
8 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ થશે
સવારે 5 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યા સુધી કર્ફ્યૂ