અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ટોરન્ટ પાવરના કર્મચારીઓ પર પથ્થરમારો થયો હતો. જેને લઈને પોલીસ દ્વારા 50 મહિલાઓ સહિત કુલ 150 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના દરિયાપુરમાં થયો હતો પથ્થરમારો
પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ એકશન મોડમાં
પોલીસે 50 મહિલાઓ સહિત 150 લોકો સામે નોંધ્યો ગુનો
વીજ ચેંકિગ કરવા ગયેલા આધિકારીઓ પર કર્યો હતો પથ્થરમારો
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ હતી. તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઈને પછી પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ત્યા પહોચ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે પરિસ્થિતીને કાબૂમાં લીધી હતી. જોકે હવે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
150 લોકો સામે ગુનો નોંધાયો
પોલીસે આ ઘટનામાં 150 લોકો સામે ગુનો નોંઘ્યો છે. જેમા પોલીસ દ્વારા રાયોટિંગનું કાવતરુ કરીને હુમલો કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથેજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
ટોરન્ટ પાવરના અધિકારીઓ પર કર્યો હતો પથ્થરમારો
સમગ્ર મામલે જો વિગતવાર વાત કરવામાં આવે તો દરિયાપુરમાં ગેરકાયદેસર વીજ જોડાણ માટેની તપાસ અર્થે પોલીસ ગઈ હતી. જેમા ટોરન્ટ પાવરના અધિકારીઓ ત્યા ગયા હતા અને તેઓ ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે ટોરન્ટ પાવરના અધિકારી તેમજ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત થયો હતો.
ગેર કાયદેસર વીજ જોડાણ કાપતા પથ્થરમારો કર્યો
અધિકારીઓ ગેરકાયદેસર વીજ જોડાણ કાપવા ગયા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. જેમા આરોપીઓએ તેમના પર પથ્થર મારો કર્યો હતો. આ મામલે પોલીસે 150 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમા ખાસ કરીને રફીર નૂર શેખ, હમિદુલ્લા શેખ અને કાસમ મોહમ્મદ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
14 જેટલા ટોરેન્ટપાવરના કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા
ઉલ્લેખનીય છેકે આ સમગ્ર ઘટનામાં સલીમ અને નઝીર મોહમ્મદ શેખ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આપને જાણીને નવાઈ લાગશે કે 150ના ટોળામાંથી 50 જેટલી મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં 14 જેટલા ટોરેન્ટપાવરના કર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા જેથી સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.