સુરતમાં ઉમરામાં પણ બિફોર નવરાત્રીના કાર્યક્રમ પર પોલીસની ગાજ
નવરાત્રી ગરબાને લઇને આણંદમાં મામલતદારે પોલીસ સાથે મળી મોટી કાર્યવાહી કરી છે. આણંદના વિવાહ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવતા પોલીસે ઓચિંતા દરોડા પાડી ગરબાના રંગમાં ભંગ પાડ્યો હતો. જ્યારે સુરતમાં ઉમરામાં આયોજિત 'રાત્રી બીફોર નવરાત્રીના આયોજન પર પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
મામલતદારે પહેલા મંજૂરી આપી પછી દરોડા પાડયા
આયોજકોએ મામલતદારની મંજૂરીથી આયોજન કર્યુ હતું, પણ પોલીસે બિફોર નવરાત્રી કાર્યક્રમ મુદ્દે કાર્યવાહી હાથધરી હતી, જેમાં મામલતદારેનો તેમણે સાથ મળ્યો મળ્યો હતો. મંજૂરી બાદ પણ દરોડા પાડતા સરકારી ગાઈડલાઈનનો ભંગ થતો હોવા મામલે કાર્યવાહી કરાઈ હોવાનો મામલતદારે દાવો કર્યો હતો. અને કહ્યું હતું કે સરકારની ગાઈડલાઈન નવરાત્રીના દિવસો પૂરતી છે. મામલતદારે નવરાત્રીના દિવસો મંજૂરી આપી તો બિફોર નવરાત્રીની ઉજવણી કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે આણંદના વિવાહ પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં જાણીતા કલાકારને નિમંત્રણ આપવામાં આવ્યુ હતું. પણ નવરાત્રી પહેલા થનગની રહેલા ખેલૈયા નિરાશ થયા હતા, જો કે આયોજક સામે હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.
પીપલોદના શોર્ટ ગેમ ઝોનમાં પ્રિ નવરાત્રી આયોજન પર પોલીસની કાર્યવાહી
સુરતમાં પાર્ટીપ્લોટમાં ગરબા ન થવા દેવા પોલીસ સતર્ક બની છે. ઉમરામાં આયોજિત 'રાત્રી બીફોર નવરાત્રી' કાર્યક્રમમાં પોલીસે ધામા પાડયા, પીપલોદના શોર્ટ ગેમ ઝોનમાં પ્રિ નવરાત્રી આયોજન કર્યુ હતું જેના પર કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી પ્લોટમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર અને બીફોર નવરાત્રી' કાર્યક્રમ ન કરવા ચેતવણી પોલીસ કડક ચેતવણી આપી છે. મહત્વનું છે કે કોરોનાને કારણે સરકારે પાર્ટીપ્લોટ, ક્લબોમાં ગરબાને મંજૂરી નથી આપી. જેથી પોલીસની કાર્યવાહીને કારણે ખેલૈયાઓ પાર્ટી પ્લોટથી રવાના થયા હતા.
નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહીં કરેઃ હર્ષ સંઘવી
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહીં યોજાય. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન નહીં કરવામાં આવે. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહીં કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહીં. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહીં માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો.
શેરી ગરબામાં 400 લોકો સુધીની છૂટ, 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહતઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, શેરી ગરબાનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શેરી ગરબામાં 400 લોકો સુધીની છૂટ આપવામાં આવી છે. જોકે કોરોનાના નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાની છૂટ આપવામાં આવી નથી. મહાનગરોમાં 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ.
વેક્સીન લીધી હોય લોકો જ ગરબા રમવા આવશેઃ હર્ષ સંઘવી
વધુમાં સંઘવીએ કહ્યું કે, વેક્સીન લીધી હોય લોકો જ ગરબા રમવા આવશે. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. 12 વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે. અન્ય તહેવાર પણ સારી રીતે ઉજવી શકાય તે અંગે શુભકામના. અનેક મહાનગરોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. બીજા ડોઝ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આસ્થા જળવાઈ રહે તેવી કામગીરી કરવામાં આવી છે. ગુજરાતના લોકો સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. ગરબા ખૂબ મહત્વનો તહેવાર છે. નિણર્ય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે.