લોકોની ગેરકાયદે અટકાયત કરીને ગોંધી રાખવા તેમજ કાયદા કાનૂનની બહાર જઇને વર્તવાની ટેવ હોવાના ઘણા બધા આક્ષેપો પોલીસ પર થઇ રહ્યા છે ત્યારે હવે શહેર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા પણ આંચકી લીધી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
મીરજાપુરમાં થઈ રહેલા બાંધકામની પરમિશન સહિતના પુરાવા માગ્યા
શાહપુરના પીએસઆઇએ નોટિસ ફટકારી બાંધકામ અટકાવવા જણાવ્યું
ગેરકાયદે બાંધકામ અટકાવવાની પોલીસને સત્તા નથી
શહેરના મીરજાપુર વિસ્તારમાં થઇ રહેલા એક બાંધકામ મામલે પોલીસે નોટિસ પાઠવીને કોર્પોરેશન કે આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી લીધી હોય તેના તમામ ડોક્યુમેન્ટ લઇ હાજર રહેવા માટેની નોટિસ પાઠવતાં ચર્ચાનો વિષય બની ગયો છે.
શહેરમાં કોઇ પણ જગ્યાએ ગેરકાયદે બાંધકામ થતું હોય તો તેના પર કાર્યવાહી કરવાની સત્તા માત્ર ને માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે, પરંતુ હવે અમદાવાદ શહેર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી કરવાનું શરૂ કરી દીધું છે.
મીરજાપુર વિસ્તારમાં રહેતાે એક પરિવાર તેમના કાચા મકાનનું રિનોવેશન કરાવી રહ્યાે છે ત્યારે શાહપુર પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પીએસઆઇ વી.એલ. ધણગણે તેમને નોટિસ ફટકારીને બાંધકામની મંજૂરી કોર્પોરેશન કે આિર્કયોલોજી વિભાગ પાસેથી લીધી છે કે નહીં તેના પુરાવા લઇ હાજર રહેવા આદેશ આપ્યો છે.
પીએસઆઇએ મોકલેલી નોટિસ પર અનેક સવાલ ઊભા થયા છે ત્યારે શું ખરેખર પોલીસની આ કામગીરી છે તે મામલે લોકોમાં ચર્ચા જાગી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર શાહપુર પોલીસ સ્ટેશનના મીરજાપુર વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ ગેરકાયદે બાંધકામ મામલે અરજી કરી હતી, જે અરજીના આધારે પીએસઆઇએ આ નોિટસ મોકલી છે.
આ મામલે પ્રોબેશન પીએસઆઇ વી.એલ. ધણગણે જણાવ્યું છે કે પીઆઇ આર.કે. અમીને કચેરી હુકમ બહાર પાડ્યો હતો, જેના કારણે નોિટસ આપવામાં આવી છે. શાહપુર પીઆઇ આર.કે. અમીને જણાવ્યું છે કે એએમસીવાળા નોટિસ આપતા હોય છે પણ એએમસી પોલીસનો બંદોબસ્ત માગે ત્યારે અમારે આપવો પડે છે.
પીએસઆઇએ એએમસીનો લેટર હશે તો નોટિસ આપી હશે. નોટિસમાં એએમસી કે પુરાતત્ત્વનો સંદર્ભ લખ્યો હશે, પોલીસને કેવી રીતે ખબર પડે કે આ ગેરકાયદે બાંધકામ છે. આ કોઇ પહેલી વખત નથી.
આ મામલે એક પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે પોલીસ પાસે ગેરકાયદે બાંધકામ છે કે નહીં તે મામલે નોિટસ આપવાની કે તપાસ કરવાની કોઇ સત્તા નથી.
જો કોઇ બાંધકામથી કોઇના જીવને ખતરો હોય કે પછી ટ્રાફિકમાં અડચણ થતી હોય કે પછી લોકોને અવરજવરમાં હેરાનગિત થતી હોય તો પોલીસને સત્તા છે કે જે તે વ્યકિત વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે ગેરકાયદે બાંધકામ બંધ કરાવવાની સત્તા પોલીસની નથી, કોર્પોરેશનની છે. પોલીસે નોટિસ કયા કારણસર મોકલી તે મામલે તપાસ કરવામાં આવશે.
પીએસઆઇએ આપેલી નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આથી તમને નોટિસ આપી જાણ કરવામાં આવેલ છે કે મીરજાપુર કોર્ટ સામે આવેલ વાહીદ શાહના રોજા ખાતે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરતા હોય તો સદર બાબતે તમોએ મ્યુ. કોર્પોરેશનમાંથી બાંધકામ બાબતે પરિમશન મેળવેલ છે કે કેમ અને આર્કિયોલોજી વિભાગમાંથી આ બાબતે પરિમશન મેળવેલ છે કે કેમ તે અંગેના જરૂરી પુરાવા સાથે અમોની રૂબરૂ આ નોટિસ મળેથી દિન-૧માં આવી હાજર રહેવું અને ત્યાં સુધી તમો જે બાંધકામ કરો છો તે અટકાવવું અને તેમ કરવામાં કસૂર કરશો તો માલિક, બાંધકામ કરનાર કોન્ટ્રાકટર વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેશો...
શહેરમાં જ્યાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યાં પોલીસને દખલગીરી કરવાની સત્તા છે, પરંતુ જ્યાં ગેરકાયદે બાંધકામ થતું હોય ત્યાં પોલીસને દખલગીરી કરવાની કોઇ સત્તા નથી તેમ છતાંય પોલીસે હવે ગેરકાયદે બાંધકામ થતું હોય ત્યાં નોટિસ બજાવવાનું શરૂ કરી દેતાં તેમની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે.