બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police officers suspend issue journalist junagadh

હુકમ / પત્રકાર પર લાઠીચાર્જ મામલે સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓને ફરીથી નોકરી પર લેવાયા

Last Updated: 09:05 PM, 18 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ અગાઉ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આવામાં ઘટનાનું કવરેજ કરી રહેલાં મીડિયા પર અચાનક પોલીસે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે મીડિયાના કેમેરામેન પત્રકારો પર લાઠીનો વરસાદ વરસાવ્યો હતો.

આ મામલે ભારે આક્રોશ પછી પોલીસતંત્ર એક્શનમાં આવ્યું હતું. એક એ ડિવિઝનના ડી સ્ટાફના PSI ગોસાઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો હતો.


પરંતુ હવે સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓને ફરીથી નોકરી પર લેવાયા છે. સસ્પેન્ડ બાદ આજે PSI ગોસાઇ અને બે કોન્સ્ટેબલોને નોકરી પર પરત લેવાનો નવો હુકમ કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરીની ચૂંટણીમાં મીડિયાકર્મીઓ પર હુમલા થયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા મીડિયાકર્મીઓએ SP કચેરીએ ધરણા કર્યા હતા.

સમગ્ર સૌરાષ્ટ્રના પત્રકારોએ SP કચેરીએ ધરણા કર્યા હતા. મીડિયાકર્મીઓએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. ત્યારબાદ સસ્પેન્ડ કરીને ફરીથી નોકરી પર લેવાતા મામલો ગરમાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Journalist Police junagadh order
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ