બનાસકાંઠાના દાંતીવાડામાં PI ની બદલી થતા વેપારીઓ અને પોલીસ સ્ટાફે અનોખી રીતે વિદાય આપી હતી.PI ને ઘોડા પર બેસાડીને ડીજેના તાલ સાથે ફૂલોનો વરસાદ કરીને માનભેર વિદાય આપી
દાંતીવાડાનાં PI ને ભાવભીની વિદાય
બદલી થતા ગ્રામજનોએ આપી વિદાય
નવા પોલીસ અધિકારીનું ઉષ્માભર્યું સ્વાગત
રાજ્યમાં આજે પણ એવા કેટલાક અધિકારીઓ છે જેમનો પ્રજા સાથે માત્ર ધિકારી તરીકેનો જ નહિ પણ પારિવારિક અને સ્નેહાળ નાતો પણ હોય છે.અને આવા અધિકારીને જનતા આંખ-માઠા પર બેસાડતી હોય છે.તેનું જ્વલંત ઉદાહરણ બન્યો છે દાંતીવાડાનો કેસ. બનાસકાંઠાના દાંતીવાડામાં PI ની બદલી થતા વેપારીઓ અને પોલીસ સ્ટાફે અનોખી રીતે વિદાય આપી હતી.PI એ.જે.ચૌધરીની કામગીરીને લઈએ વિદાય વેળાએ વેપારીઓ ભાવુક થયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીને ઘોડા પર બેસાડીને ડીજેના તાલ સાથે ફૂલોનો વરસાદ કરીને માનભેર વિદાય આપી હતી,અને નવા આવેલા PI એસ.જે.દેસાઈ ને ઘોડે બેસાડી શાનદાર આવકાર આપ્યો હતો. આ તકે વેપારીઓ અને પોલીસ સ્ટાફ ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા.
બનાસકાંઠાના દાંતીવાડામાં PIની બદલી થતા વેપારીઓ અને પોલીસ સ્ટાફે અનોખી રીતે વિદાય આપી હતી. PI એ.જે.ચૌધરીની વિદાય અને નવા PI એસ.જે.દેસાઈને ઘોડે બેસાડી આવકાર્યા. pic.twitter.com/tkuNchQtXT
આ અગાઉ 1990ના દાયકામાં રાજકોટમાં જ્યારે સુંદરમૂર્થી જગદીશન (એસ. જગદીશન )મ્યુનિસીપલ કમિશનર હતા ત્યારે તેમની બદલી અટકાવવા રાજકોટ શહેરે સ્વયંભૂ બંધ પાળી કમિશનર પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી.