રાજકોટમાં પોલીસ કર્મચારીના આપઘાતની ઘટના સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો છે. કયા કારણ સર પોલીસ જવાને આ અંતિમ પગલું ભર્યુ તે તો હજુ જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ બેડામાં અને પરિવારમાં આ મોતને કારણે શોકનું મોજુ ફરી વળ્યું છે. જવાનજોધ દીકરો ગુમાવતા પરિવારનો આક્રંદ શમવાનું નામ નથી લેતો.
રાજકોટમાં પોલીસકર્મીનો આપઘાત
થોરાળા પોલીસ સ્ટેશનમાં બજાવતો હતો ફરજ
આપઘાત પહેલા વોટ્સેપમાં સ્ટેટસ કર્યા અપડેટ
થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ આશિષ દવેએ આપઘાત કર્યો હતો. અગમ્ય કારણોસર કોન્સ્ટેબલે આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. પોલીસ કર્મીએ પંખા પર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસ કર્મીનાં આપઘાત પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમના અંતિમ પગલા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વોટ્સેપમાં શેર કર્યુ લાસ્ટ સ્ટેટસ
પોલીસ આ મામલામાં તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરશે. આ સાથે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. PM રિપોર્ટ બાદ જ મોતનું અસલી કારણ સામે આવશે. આશિષે મરતા પહેલા વોટ્સએપનાં સ્ટેટસમાં એક ગીત અને એક મેસેજ પણ શેર કર્યાં હતાં. જેમાં એક મેસેજની નીચે લખ્યું છે કે, 'મારી હસ્તી રમતી પરી' જ્યારે બીજા મેસેજની નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે, 'only 4 my angel'.