ગાંધીનગરની IDRP કોલેજમાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરીક્ષાર્થીઓ અને વાલીઓ હોબાળો કરતા હતા તે દરમિયાન ફરજ પર હાજર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
વધારે હોબાળો કરતા એક વાલીની પોલીસે અટકાયત કરી હતી. હાલ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને પરીક્ષા કેન્દ્ર ખાલી કરાવ્યું છે. વાલીઓની વ્યથા છે કે તંત્રની બેદરકારીનો બોજ અમારે ઉઠાવવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે લોકરક્ષક ભરતીમાં પેપર લીક થયા બાદ ચો તરફ વિરોધની જ્વાળા ફાટી છે ત્યારે રાજ્યસરકાર હવે હરકતમાં આવી છે અને આ દિશામાં તપાસના આદેશ આપ્યા છે.
#gandhinagar IDRP કોલેજમાં પોલીસે લાઠીચાર્જ કર્યો પરિક્ષાર્થીઓ અને વાલીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો પેપર લીક મુદ્દે વાલીઓ અને પરિક્ષાર્થીઓએ હોબાળો કર્યો
પોલીસે એક વાલી અને પરિક્ષાર્થીની અટકાયત કરી પોલીસે પરીક્ષા કેદ્ર ખાલી કારવ્યુ pic.twitter.com/4FfAQXRPSX
જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. રાજ્યસરકારનું કહેવું છે કે આ પરીક્ષા ફરી એક વખત યોજાશે અને વિદ્યાર્થીઓનું એસ.ટી ભાડુ પણ માફ કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે પરીક્ષા રદ્દ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થયાં હતા અને વ્યવસ્થાતંત્ર પર ફિટકાર વરસાવ્યો હતો. જો કે પરીક્ષા બોર્ડનાં અધ્યક્ષે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે એક માસમાં લેવાઈ શકે છે ફરી પરીક્ષા. આ સાથે જ તેમણે ખાતરી આપતા જણાવેલ કે ગુજરાત પોલીસ આ દિશામાં તપાસ કરશે અને પેપર લીક કરનાર અસામાજીક તત્વો સામે જરૂરી પગલા પણ લેવામાં આવશે.