અમદાવાદઃ લાંચ રુશવત વિરોધી ખાતા દ્વારા જમીન વિકાસ નિગમની ઓફિસમાં કરવામાં આવેલી રેડ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પોલીસે આરોપીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એસીબીના સર્ચ દરમિયાન કે.એસ.દેત્રોજાના ઘરમાંથી રૂપિયા 1.28 લાખ રોકડા અને સોનાના પેન્ડલ સાથે બુટ્ટી મળી આવી હતી.
એમ.કે.દેસાઇને ત્યાંથી એસીબીને રૂપિયા 9 લાખ રોકડા મળી આવ્યાં હતાં. અને એસ.એમ.વાઘેલાને ત્યાંથી એસીબીને રૂપિયા પાંચ લાખ રોડકા મળી આવ્યાં હતાં. તો શૈલેષ શાહને ત્યાંથી એસીબીએ બિન હિસાબી રૂપિયા 70 હજાર જપ્ત કર્યાં હતાં.
એસીબીએ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને એસ.એમ.વાઘેલા અને કે.ડી.પરમારની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ સંપતિ અને રોકડ રૂપિયા અંગે આરોપીઓ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હતા.