આજે નવા વર્ષ નિમિતે અમદાવાદમાં પોલીસ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા CM એ કોરાના કાળમાં અને કુદરતી આફતોમાં અડીખમ રહેનાર પોલીસની કામગીરીને બિરદાવી હતી.
અમદાવાદમાં પોલીસ સ્નેહમિલન
પોલીસ સ્નેહમિલન કાર્યક્રમમાં CMનું સંબોધન
કપરા કાળમાં પોલીસની કામગીરી સરાહનીય
નવા વર્ષ નિમિતે આજે અમદાવાદમાં પોલીસ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્નેહમિલ કાર્યક્રમના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે PM મોદીએ IPS સ્નેહમિલન કાર્યક્રમનની શરૂઆત કરી હતી આજે મને પણ પોલીસ પરિવાર સાથે મળવાનો મોકો મળ્યો છે, વધુમાં તેમણે મુખ્યમંત્રી કોરોના કાળમાં,તેમજ કુદરતી આફતોમાં પોલીસ જવાનોની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે ગત વર્ષે પોલીસ જવાનોએ કુદરતી મુશ્કેલીઓનો સામનો કર્યો, કોરોના વાવાઝોડા જેવી મુશ્કેલીઓ સામે અડી ખમ ઉભા રહ્યા છે. કપરાકાળમાં પોલીસની કામગીરી સરાહનીય રહી છે.
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી ઉજવણી
આ તરફ સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજ્યના પોલીસ જવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગુજરાત પોલીસની કામગીરીને પણ બિરદાવતા કહ્યું કે પોલીસ જવાનો પરિવારથી દૂર રહીને લોકોની રક્ષા કરે છે. તેમણે પોલીસ જવાનોની રક્ષા, અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. નવા વર્ષની શુભેચ્છાઓ આપતા હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે ચાય પે ચર્ચા કરી તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.
મુખ્યમંત્રીએ પણ નવા વર્ષની આપી શુભેચ્છાઓ
મહત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નવા વર્ષના પહેલા દિવસે વહેલી સવારે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત મંચદેવના મંદિરે દર્શન કર્યા બાદ અમદાવાદના ભદ્રકાળી મંદિરની પણ મુલાકાત લીધી હતી તેમજ સર્કિટ હાઉસ ખાતે લોકો સાથે મુલાકાત પણ કરી હતી, મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુ પ્રાર્થના કરી છે. સાથે જ તેમણે સમાજ વર્ગોની શકિત ક્ષમતા અને સૌના સહયોગથી આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું.