રાજકોટના ખીજડિયા ગામે એક નવજાત બાળક મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ આરંભી તો બાળકીની માતા સગીરા હોવાનું સામે આવ્યું સાથેજ તે દુષ્કર્મનો શિકાર બની હતી.
ખીજડિયા ગામે નવજાત બાળતી મળી હતી
બાળકીની માતા સગીરા હોવાનું સામે આવ્યું
સગીરા દુષ્કર્મનો શિકાર બની હતી
રાજકોટ શહેરમાં ગઈકાલે ખીજડિયા ગામમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જેને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીને કપડામાં લપેટીને ખાડામાં નાખી દીધી હતી. સાથેજ તેને દાંટી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસ આરંભી અને પોલીસે બાળકીની માતાને શોધી કાઢી છે.
સગીરા બની દુષ્કર્મનો શિકાર
આપને જાણીને નવાઈ લાગશે કે બાળકીની માતા સગીર વયની છે. પોલીસે માતાની પૂછપરછ કરી તેમા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો કે તે દુષ્કર્મનો શિકાર બની હતી. જેથી તે ગર્ભવતી થઈ અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો.
ગામના આગેવાને પોલીસને જાણ કરી
બાળકી જ્યારે ખીજડિયા ગામમાંથી મળી આવી, તે સમયે ગામના આગેવાન નવલસિંગ જાડેજાએ પોલીસને તેમજ 108ને જાણ કરી હતી. જેથી પોલીસ તુરંત ત્યા પહોચી હતી અને તેમણે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે સાંભળીને તમારા રૂવાંટા ઉભા થઈ જશે કે બાળકી પર માટી નાખીને તેને દાંટી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્ચો હતો. જોકે સદનસીબે બાળકીનો જીવ બચી ગયો.
જન્મ આપ્યા બાદ બાળકીને ત્યજી દીધી
બાળકી જ્યાથી મળી આવી હતી ત્યાથી માત્ર 100 મીટરના અંતરેજ રોડ પર તેની ડિલીવરી થઈ હતી તેવું માનવામાં આવે છે. કારણકે ત્યાથી લોહીવાળા પગના નિશાન મળી આવ્યા હતા. જેથી કહી શકાય કે જન્મ આપ્યા બાદ બાળકીની માતાએ તુરંત તેને ત્યજી દીધી હતી.
પોલીસે આરંભી આરોપીની શોધખોળ આરંભી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાની પૂછપરછ કરીને ફરિયાદ નોંધી છે. જે શખ્સે તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું તે શખ્સની સામે પોલીસે પોક્સો હેઠળ ફરીયાદ નોંધી છે. સાથેજ તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.