નાગરિકતા સંશોધન બિલ પર પૂર્વોતરના રાજ્યોમાં બબાલ મચી ગઇ હતી. આસામમાં આજે અને સ્થળો પર વિદ્યાર્થીઓના ટોળાં ઉમટી પડ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા હતા.
નાગરિકતા બિલને લઇને આસામમાં હિંસક પ્રદર્શન
અનેક ટ્રેનો રદ, અનેક ટ્રેનના રૂટમાં ફેરફાર
બે દિવસથી ચાલી રહ્યો છે વિરોધ
તેમના વિરોધના પગલે પોલીસે લાઠી ચાર્જ કરીને પેલેટ ગન અને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા. અનેક મુખ્ય માર્ગો પર આ વિદ્યાર્થીઓની રેલીઓ ફરતા ટ્રાફીક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.પોલીસે આ મામલે કહ્યું કે, એક કોલેજ પાસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હત
જેમાં અનેક સામાન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને એક પત્રકારને પણ ઈજા પહોચી હતી. જો કે બિલ સદનમાં આવે તે પહેલા અનેક સ્થાનિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. જેમાં ખાસ કરીને જોરહાટ, ગોલાઘાટ, ડિબ્રૂગઢ, તિનસૂકિયા, શિવસાગર, નગાંવ, સોનીતપુરમાં વધારે હોબાળો જોવા મળ્યો હતો.
નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થઇ ગયા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપરી સદન રાજ્યસભામાં રજૂ કર્યું છે. વિપક્ષ દ્વારા આ બિલનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બંધારણની વિરુધ્ધ બતાવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલને રજૂ કરતા જણાવ્યું કે આ એક ઐતિહાસિક બિલ છે.આ બિલમાં જે જોગવાઇ છે તેનાથી લાખો-કરોડો લોકોને ફાયદો થશે.
અમિત શાહે પાક પર શાધ્યું નિશાન
અમિત શાહે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલને રજૂ કર્યા બાદ નિવેદન આપતા કહ્યું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં લઘુમતી વર્ગ ખુશ નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે અત્યાચાર થઇ રહ્યાં છે. ભાજપ મતબેંકનું રાજકારણ કરી રહ્યું નથી.