થોડા દિવસ પહેલા ગુજરાત કવિન ટ્રેનના ડી - 12ના કોચમાં એક યુવતીની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે કેસમાં તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
વલસાડમાં યુવતીનો ટ્રેનમાં આપઘાતનો મામલો
"યુવતી પાસેથી પોલીસને ડાયરી મળી"
"ડાયરીમાં 2 લોકોએ દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ"
વલસાડમાં યુવતીનો ટ્રેનમાં આપઘાત મામલે નવો ઘટસ્ફોટ: રેલવેના DySP બી.એસ.જાદવે કહ્યું કે, યુવતી પાસેથી પોલીસને ડાયરી મળી છે...જે ડાયરીમાં 2 લોકોએ દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે...રિક્ષા ચાલકોએ યુવતીની સાયકલને અડફેટે લીધી હતી...અને યુવતીને રિક્ષામાં બેસાડી ઝાડીમાં લઇ ગયા હતા...ઝાડીમાં લઇ જઇ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું...હાલ યુવતીના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ડાયરીમાંથી ખૂલ્યું રહસ્ય
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
કોઈ પીછો કરતું હોવાનો કર્યો હતો મેસેજ
ધનતેરસના દિવસે યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે 2 રિક્ષાચાલકે તેનું અપહરણ કરી લીધી હતું. એ બાદ તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં નોંધ હતી. OASIS સંસ્થાના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેની હિંમત ચકનાચૂર થઈ ગઈ હતી. યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ જોયો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત પરથી પડદો ઉઠ્યો નથી.
ટ્રેનના ડબ્બામાં આપઘાત કરી લેતા ચકચાર
વલસાડ રેલવે સ્ટેશન પર 5 નવેમ્બરના રોજ મોડી રાત્રે અમદાવાદથી આવેલી ગુજરાત કવિન ટ્રેન ના ડી - 12ના કોચમાં એક યુવતીની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી .ગુજરાત કવિન મોડી રાત્રે 12 : 30 વાગ્યા ના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. અને ત્યાર બાદ ટ્રેન માં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારો એ માનસી ને ગળે ફાંસો ખાધેલી હાલત માં જોતા તાત્કાલિક આ અંગે પોલીસ ને જાણ કરવામાં આવી હતી. અને જી.આર.પી પોલીસ મથક ના પી. એસ. આઈ જે. વી. વ્યાસ અને તેમની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને એફ.એસ.એલ ને બોલાવી આગળ ની તાપસ શરૂ કરી હતી ..
કઈ રીતે થઈ ઓળખ?
પોલીસ તપાસ માં બહાર આવ્યું છે કે નવસારી શહેર ના ભક્તિ નગર, જલારામબાપા ના મંદિર ની બાજુ માં રહેતી 19 વર્ષીય માનસી શીતપ્રશાદ ગુપ્તા બરોડા માં પ્રથમ વર્ષ માં કોલેજ કરતી હતી. અને સાથે એક સામાજિક સંસ્થામાં ફરજ બજાવતી હતી. જે 5 દિવશ અગાઉ બરોડા થી નવસારી તેના ઘરે રેહવા માટે આવી હતી. અને ગતરોજ તેણે તેની માતા ને જણવ્યું હતું કે સંસ્થા ના કામ અર્થે મરોલી ખાતે જવાનું છે. અને એક દિવશ ત્યાં રોકાયા બાદ પરત આવી જવા નું કહ્યું હતું. અને બીજા દિવશે માનસી ની લાશ ગુજરાત કવિન ટ્રેન ના ડી - 12 નંબર ના કોચ માં સમાન મુકવા ની જગ્યાએ તેણે દુપટ્ટા થી ગળે ફાંસો ખાઈ લીધો હતો. અને આત્મહત્યા કરી લીધી હતી.
માનસી ભણવામાં હોશિયાર હતી, પરિવાર શોકમાં ગરકાવ
માનસી અભ્યાસની સાથે એક સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલી હતી. આથી તે સંસ્થા ના કામ માટે બહાર જઈ રહી હોવાનું પરિવારજનો ને જણાવ્યું હતું.. અને તે એક દિવસમાં ઘરે પરત ફરશે આવું જણાવી અને ઘરથી નીકળી હતી ..જોકે મોડી રાત્રે નવસારી બાજુથી વલસાડ તરફ આવેલી ગુજરાત ક્વીન ડી 12 નંબરના ડબ્બામાં તેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા.. તેના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો
આ સવાલોના ક્યારે મળશે જવાબ?
પીડિતાનો પીછો કોણ કરતું હતું?
પીડિતાએ કરેલા મેસેજને ગંભીરતાથી કેમ ન લેવાયો?
મનોબળ મજબૂત કરતી સંસ્થામાં કામ કરનારી પીડિતા કેમ તૂટી ગઇ?
પીડિતા સાથે દુષ્કર્મ કરનારા રિક્ષા ચાલકો ક્યારે ઝડપાશે?