નર્મદા જિલ્લાને અને ગુરૂની મહિમાને બદનામ કરતી એક શર્મસાર ઘટના ગરૂડેશ્વરથી સામે આવી છે સ્વામી દયાનંદ આશ્રમશાળાના આચાર્ય જયંતિ પટેલ પર આદિવાસી દિકરીઓની છેડતી કરવો ગંભીર આરોપ લાગ્યો છે.
આ શાળામાં 158 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં 58 જેટલી વિદ્યાર્થિનીઓ છે અને 4 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે સ્વામી દયાનંદ આશ્રમશાળાના આચાર્ય જયંતિ પટેલએ શારરિક છેડછાડ કરી હોવાનો આરોપ સામે આવ્યો છે.
વિદ્યાર્થિઓની ફરિયાદ સામે આવ્યા બાદ સ્થાનિકોએ બાળસુરક્ષા અને અભિયમની 181 ટીમને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જે આધારે પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.