ભાવનગરમાં કોન્સ્ટેબલે પોતાના 3 બાળકોની હત્યા કરી છે. વિદ્યાનગર પોલીસ લાઈનમાં કોન્સ્ટેબલે હત્યા કરી હતી. સુખભાઈ શિયાળ નામના કોન્સ્ટેબલે 3 બાળકોની હત્યા કરી હતી. આ ઘટના અંગેની જાણકારી નજીકના પોલીસ મથકે થતાં જ DSP અને પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ત્રણ બાળકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા
મળતી માહિતી પ્રમાણે ભાવનગરના વિદ્યાનગર પોલીસ લાઇનમાં સુખાભાઇ શિયાળ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમણે આજે રવિવારે કોઇકારણો સર પોતાના ત્રણ બાળકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. મરનાર ત્રણેય બાળકો 7 વર્ષ, 3 વર્ષ, 2 વર્ષના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
હત્યા કરી કોન્સ્ટેબલે જાતે જ પોલીસ સ્ટેશન થયો હાજર
ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ નવી પોલીસ લાઇન ના બ્લોક નંબર 27 માં 247 નંબર ના મકાન માં રહેતો પોલીસ જવાન સુખદેવ શિયાળ આજે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણસર આવેશમાં આવી જઇ પોતાના સગા 3 માસૂમ પુત્રો ખુશાલ, ઉદ્ધવ, મનોનીતની તીક્ષ્ણ હથિયાર વડે ગળા કાપી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ત્યાર બાદ આરોપી જવાને પોતે કંટ્રોલમાં આ ઘટનાને લઈને ફોન કર્યો હતો અને બાદમાં પોતે પોલીસ મથક માં હાજર થઈ ગયો હતો.
પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
પોલીસ જવાને હત્યામાં વપરાયેલ ધારિયું નામાનું હથિયાર ત્યાં જ છોડી દીધુ હતું. બનાવ ક્યાં કારણોસર બન્યો તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ ઘર કંકાસ હશે તેવું પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા લગાવાઇ રહ્યું છે. જાણવા એમ પણ મળ્યું છે કે બપોરે 2 વાગે વરસાદ આવ્યો ત્યારે આ કોન્સ્ટેબલના 2 પુત્રો સામેની અગાસીમાં ન્હાવા ગયા હતા અને ઘરમાં પરતફર્યા ત્યારે આ હત્યારા કોન્સ્ટેબલે તેની પત્નીને અંદરના રૂમમાં પુરીને આ 3 માસુમ બાળકોની હત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં ડી આઇ જી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડ, સહિતનો કાફલો પહોંચી ગયો હતો.
રાણીવાડાનો વતની છે સુખદેવ
સુખદેવ શિયાળ મહુવાના રાણીવાડા ગામનો વતની છે. પહેલા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તે પોલીસ હેડ ક્વાર્ટરમાં આશાન વિભાગમાં ફરજ બજાવે છે.