ચાંદખેડા પોલીસે LRD મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા મામલે સ્યુસાઇડના નોટના આધારે ફરિયાદ નોંધી છે. ચાંદખેડા પોલીસે 11 લોકો સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધી છે.
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટબલેના આપઘાત મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. 19 જૂનના રોજ મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ બાથરૂમમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલ પાસેથી સ્યૂયાઇડ નોટ પણ મળી આવી છે.
કોન્સ્ટેબલે આપઘાત કરતા 11 લોકો સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ફરિયાદ દાખલ કરી છે. સ્યૂસાઇડ નોટમાં તેને હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે. જેમાં કાંતિ પરમાર, રાજન પરમાર, જયેશ પરમાર, જ્યેશની પત્ની, હિના પરમાર, આરતી પરમાર, કમળા પરમાર, પુષ્પા પરમાર, રિધમ પરમાર, અરવિદ પરમાર અને સેન્ટી પરમાર સામે ફરિયાદ થઈ છે.
સ્યૂસાઇડ નોટમાં તેણે ભાઈને રોલ મોડલ ગણાવ્યો હતો, તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી હતી. માત્ર એટલું જ નહીં, ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યા હતા. તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે. આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.