કચ્છઃ આદિપુરમાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજાએ ખાખીના પાવરમાં એક વેપારીને તેની જ દુકાનમાં જઈ ઢોરની જેમ માર માર્યો છે. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ જાડેજા વેપારીને માર મારી રહ્યો છે. લાંચ માગવા ગયેલા કોન્સ્ટેબલની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. જોકે વેપારીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. પરંતુ વેપારીને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું.
આ ઘટના બાદ અનેક સવાલો ઉદભવે છે કે શું પોલીસનું કામ લાંચ લેવાનું છ? પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરી યોગ્ય છે? શું આવી રીતે પોલીસ કરશે સુરક્ષા? પ્રજા પર ક્યા સુધી આવા લાંચીયા લાંચ લેતા રહેશે?