કોરોનાનું સંક્રમણ ખાળવા માટે અમદાવાદ શહેરમાં 57 કલાકનો કર્ફ્યુ પૂર્ણ થયો છે. ત્યારબાદ આજથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ રાત્રિ કર્ફ્યુને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે.
અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ
અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ
અમદાવાદમાં 15 દિવસ રાત્રી કર્ફ્યુ અમલી રહેશે
ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ પણ અમદાવાદમાં છે. ત્યારે અમદાવાદીઓને કોરોનાથી બચાવવા માટે તંત્ર અને સરકાર દ્વારા 2 દિવસના કર્ફ્યુ બાદ રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. અમદાવાદમાંથી 2 દિવસીય કર્ફ્યુ હટ્યા બાદ આજથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ જ લાગુ રહેશે. અમદાવાદમાં ફરી દિવસનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. 2 દિવસના કર્ફ્યુ બાદ આજથી અમદાવાદ ફરી ધમધમતું થયું છે. અમદાવાદ સહિત રાજ્યના 4 મેગા સિટી રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. તો આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં રાત્રિ કર્ફ્યુની અંતિમ તારીખ જણાવવામાં આવી છે. અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. અમદાવાદમાં 15 દિવસ રાત્રી કર્ફ્યુ અમલી રહેશે. તો 7 ડિસેમ્બર સુધી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 7 ડિસેમ્બર પછી કર્ફ્યુ લંબાવવું કે નહીં તે નિર્ણય સ્થિતિને ધ્યાને રાખીને લેવાશે. રાત્રિ કર્ફ્યુના લીધે રાત્રિ કાર્યક્રમોને મંજૂરી નહીં મળે.
અમદાવાદ શહેરમાં સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ
અમદાવાદમાં પ્રદુષણ અને અકસ્માતને અટકાવવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે શહેરમાં મોટા વાહનોનો પ્રવેશ અટકાવ્યો છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરમાં સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી માટેના વાહનોની સમય મર્યાદા નક્કી કરાઇ છે. સવારે 9થી બપોરે 1 અને સાંજે 4થી રાત્રેના 9 વાગ્યા સુધી પ્રતિબિંધ રહેશે.
અમદાવાદમાં રાત્રી કર્ફ્યુને લઈ BRTSનો નિર્ણય
અમદાવાદમાં BRTS બસ વ્યવસ્થા સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. BRTSનું ટિકીટ કાઉન્ટર સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. AMTS બસનો સમય સવારે 7 થી રાત્રે 8 વાગ્યાનો રહેશે.
કોરોના વાયરસ અમદાવાદ શહેરની સડકો અને શેરીઓના નાકા પર ઘાત લગાવીને બેઠો છે. જો કોઈ બહાર નીકળે તો તેને એટલો સિફતપૂર્વક સંક્રમિત કરી નાખે છે કે, સંક્રમિત થનારને ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. ત્યારે માનવજાતના એવા દુશ્મનથી બચવાનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જ ઉપાય છે.